SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગીત ૨૨૧ થોનો નાશ અને દ્રવ્યહીન થરોની વૃદ્ધિ શા માટે થાય છે એને કોઈએ ખુલાસો કર્યો હોય એમ લાગતું નથી, જેવી સ્થિતિ એક જ સમાજના અંતર્ગત અને અવયવભૂત થેરેની, તેવી જ સ્થિતિ જુદાં જુદાં રાષ્ટ્ર લઈ તેમની તુલના કરીએ તે તેમની છે એમ જણાઈ આવશે. રાષ્ટ્ર જેમ જેમ ધનવાન, તેમ તેમ તેમની પ્રવૃત્તિ નાશ તરફ. ઉત્તર અને પશ્ચિમ યુરોપના દેશો પૂર્વ યુરોપના દેશો કરતાં વધુ શ્રીમંત છે. પરંતુ ત્યાંની લેસિંખ્યા વિષે કુઝીસ્કિ કહે છે કે, “ઈ.સ. ૧૯૨૩ની સાલમાં ઉત્તર અને પશ્ચિમ યુરોપની જનન સંખ્યા અને મૃત્યુસંખ્યાને વિચાર કરતાં એમ જણાઈ આવ્યું કે તે દેશમાંની સંખ્યા નષ્ટ થવાને માગે છે, અંતે નષ્ટ થશે એ બાબત નિશ્ચિત છે”એકજ સમાજમાં રહેનારા થરનું પ્રત્યક્ષ ઉદાહરણ લઈએ. એક સદી પહેલા મોરીશમાં એક તૃતીયાંશ લોકસંખ્યા યુરેપીઅન વસાહતવાળાની હતી. એટલે મુખ્યત્વે કરીને ફેંચ લોકોની હતી. આજ લગભગ તે દેશ હિંદુસ્થાનને કકડે હૈ જોઈએ. એવી સંખ્યાની દૃષ્ટિએ રિથતિ થઈ છે. અહીં તે યુરેપીઅન ફેંચ ધનવાન અને સત્તાવાન અને હિંદી કામગાર નિર્ધન અને દુર્બલ પરંતુ એ વર્ષોમાં ફેંગેની પ્રવૃત્તિ નાશ તરફ જણાઈ આવે છે. યુરોપમાં જુઓ, અમેરિકામાં જુઓ, હિંદુસ્થાનમાં જુઓ, દ્રવ્ય અને વંશનાશ એનો એક પ્રકારને સમન્વય છે એમ જણાઈ આવશે. જે ધનમાં સમાજનું રક્ષણ કરવાનું સામર્થ હોય તે સમાજની રચના ધનપ્રધાન તવ પર કરવી ઇષ્ટ થશે. પરંતુ દ્રવ્ય અને સમાજક્ષણ એ બંનેનું સાહચર્ય ઇતિહાસમાં તે કયાંય દેખાતું નથી ધનવાન સમાજ જીવતા નથી અને દરિદ્રો સમાજ મરતા નથી. આમ વિચારીએ તે ધનને સમાજરચનાનું એક અંગ માનીએ તે પણ પ્રધાન અંગ છે એમ માની શકાય નહિ. આજ ચારે તરફ સમાજ સામે į Balance of Births our deaths--R. R. Kuzeyniski. 7 Outspoken essays--Dean Inge. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy