SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિલાનું સમાપનાશામ ~~ ~~~~~~~~~~~ ~~~ ~ ~~~ ~ પરંતુ આ પ્રગતિથી માનવી ભાવનાઓમાં કોઈપણ પ્રકારની સુધારણું થઈ નથી. તેથી આ પ્રગતિ માનવી સંસ્કૃતિની ઘેર બેદશે એવી બીક રસેલ, જે. બી એસ. હાર્ડેન વગેરે ઘણાય વિચારવંત લેકને લાગે છે. આવા પ્રકારની સંસ્કૃતિ હિંદુસ્તાનમાં પ્રચલિત કરવી એમ આજના સમાજ ધુરંધરને મત થયેલ દેખાય છે, તેથી આ સંસ્કૃતિના મૂળતને વિચાર જરા વધુ ધ્યાનપૂર્વક કરી પછી ચેથા પર્યાયને વિચાર કરીશું. આજે આપણે જેને “સુધરેલા' સમાજે કહીએ છીએ તે સર્વ સમાજની રચનામાં એક જ મૂળતત્વને આશ્રય લેવામાં આવ્યો છે. એ મૂળતત્વ આધુનિક સુધારણાનું એટલે ઉદારમતવાદિ– Liberalism મૂળતત્વ અથવા યુરોપના લાડકા શબ્દોમાં કહીએ –સમતા, બંધુતા અને સ્વાતંત્ર્ય. આ તત્ત્વજ્ઞાન પ્રચલિત થયા પછી તેને અનુમોદન આપનારા અનેક તત્ત્વો, અર્થશાસ્ત્રો કાયદાપંડિત, રાજશાસ્ત્રજ્ઞો, મુત્સદ્દીઓ વગેરે થઈ ગયા. આ બધાએ ઉદારમતવાદિતને અનુમતિ આપી તેથી કંઈ તે તત્ત્વજ્ઞાન અને તેના પર રચાએલું સમાજશાસ્ત્ર નિર્દોષ છે એમ કહી શકાશે નહિ. તેથી આપણે આ તત્વોનું પૃથક્કરણ કરવાની જરૂર છે. આપણે અહીં બે પ્રશ્નોની નિખાલસ અંતઃકરણથી ચર્ચા કરવાની જરૂર છે. તે બે પ્રશ્નો આ રહ્યા ? (૧) ઉદારમતવાદિ તત્ત્વજ્ઞાનનાં મૂળતત્ત ઉપરઉપરથી જણાય છે તેટલાં નિરપવાદ છે ખરાં? તત્વો, અર્થશાસ્ત્રો વગેરે લેકેએ આ ઉદારમતવાદિત્વનું જે ફળ પ્રાપ્ત થવાની ઘોષણું કરી છે, તે ફળ આજ સુધી સમાજને પ્રાપ્ત થયું છે ખરું ? For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy