SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજરચનાનાં વિવિધ તો ૬૫૫ અને સુધરેલા રિવાજ છે, પરંતુ સ્થલાભાવને લીધે વધુ ચર્ચા ન કરવી જ સારી. એક જ જાતિમાં અનેક ઉપજાતિઓ ઉત્પન્ન થાય છે, અને તેમાંથી ઘણી જ થોડી સિલક રહે છે, એવી સૃષ્ટિની પ્રક્રિયા છે. જે જાતિઓ ટકી શકે છે, તેમનામાં કોઈક ને કોઈક પ્રકારનું શ્રેષ્ઠત્વ હોય છે અને તેથી જ તેઓ સિલક રહે છે. આ શ્રેષ્ઠત્વ પણ નૈસર્ગિક કલહના પ્રવાહમાં જ ઉત્પન્ન થએલું હોય છે. જે ફરક જીવનાર્થ કલહમાં ઉપયુક્ત થશે તે જાતિમાં સિલક રહેશે. આ સામાન્ય રીતે નૈસર્ગિક ચુંટણીની તાત્ત્વિક ચર્ચા થઈ. તેમાં નૈસર્ગિક ચુંટણની પ્રક્રિયાને આપણે થોડે ઘણે બોધ કરી લીધું. હવે આપણે સમાજ (હિંદુસમાજ) આજની સ્થિતિમાં છે તે શાસ્ત્રીય દષ્ટિએ યોગ્ય છે કે અગ્ય છે તેને વિચાર કરવાનો છે. અમારા મતે તે હિંદુની સમાજરચના (પાશ્ચાત્ય પદ્ધતિમાં ઉછરેલા સુશિક્ષિતોએ કરેલા કેટલાક ગોટાળાઓ બાદ કરતાં) અત્યંત મામિક, દુરદર્શી અને સુંદર તો પર થઈ છે અને તે મતને પ્રસ્થાપિત કરવા માટે જ આ ગ્રંથની પ્રવૃત્તિ છે. જયારે આપણે માનવસમાજ વિષે બોલવા લાગીએ છીએ, ત્યારે આ પ્રશ્ન અત્યંત ગુંચવાડા ભરેલે થઈ બેસે છે. ઈતર છવજાતિઓના પ્રશ્ન કરતાં આ માનવી ચુંટણી પ્રશ્ન થોડા ભિન્ન સ્વરૂપનો છે. છવજાતિઓમાં | મુખ્યત્વે કરીને તે જાતિની પિંડાત્મક ( Eugenic or biological ) 3afcall or (42113 329121814 છે. માનવજાતિમાં પિંડ પ્રગતિને વિચાર કરવાને તે હોય છે જ; પરંતુ વધારામાં સામાજિક એટલે સાંસ્કારિક (Psycho—social or traditional) પ્રગતિને પણ વિચાર કરવો જોઈએ. તિર્ય Social decay and rogeneration by R. Austin Free. man; Heredity and selection in sociology-Chatterton Hill. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy