SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર ત્રીજું એમ પણ કહી શકાશે કે પરિસ્થિતિના પ્રવાહમાં આ ફરક પડતા જાય છે. ચોથું એ કે ફરકની આ પ્રવૃત્તિ પિંડની અંતર્ઘટનામાં પણ હોઈ શકે. આ ચારે બાબતમાં સર્વ લોકોએ એક બાબત ગૃહીત માની છે, તે એ કે જે દિશા તરફ ફરક પડતા જાય છે, તે જ દિશા તરફ ઉત્ક્રાંતિનો પ્રવાહ ચાલ્યો જાય છે. આ ગૃહીત કૃત્ય પ્રથમ ગમે તેટલું રૂપાળું લેખાતું હતું પણ આજે તે પ્રમાણરૂપ માની શકાય તેમ નથી. આ ચર્ચાને એક ગ્રંથકાર એવો નિષ્કર્ષ કાઢે છે કે, “ઈન્દ્રિયમાં થોડા થોડા પડતા ફરકે ઉત્ક્રાંતિને મદદ કરે છે એમ કહેનારાં બધાં ત ખેટ જાણી એક બાજુ મૂકી દેવા જોઈએ.” બીજા તમાં શી ભાંજગડ ઉભી થાય છે એની માહિતી ઘણું લેખકેને હોતી નથી. એકદમ અકારણ ફરક પડે એટલે જે ગુણો પિડામાં મૂળમાં જ ન હતા તે એકદમ પ્રતીત થવા અથવા હિંદુઓની પ્રક્રિયામાં બેલીએ તો અવસ્તુમાંથી વસ્તુસિદ્ધિ થવી, એ કલ્પના પ્રથમ હ્યુગે ડી ડ્રાઈસે (Hugo De Vries) આગળ માંડી. શાસ્ત્રીયભાષામાં એ જ બાબત નીચે પ્રમાણે વ્યક્ત કરી શકાશે. એક પ્રકારની પ્રકૃતિના પ્રાણીવર્ગમાં તદિતર પ્રકૃતિના કેઈ પણ પ્રાણુ સાથે સંકર ન થવા દેતાં પ્રથમ પ્રકૃતિ કરતાં વિપરિત ગુણધર્મો ઉત્પન્ન થવા એટલે જ ફરક. આવા પ્રકારના (Variations) ફરકે પ્રાણીવર્ગમાં થાય છે, એમ સિદ્ધ થશે, ત્યારે ફરક પડે છે એ બાબત માની શકાશે. ગણિતાત્મક પદ્ધતિથી આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરી તે પ્રકાર કહે છે કે, “આપણે કહેવાની ફરજ પડશે કે આનુવંશિક થનારા ફરકે એ વાત હજુ સુધી કેઈએ પણ સિદ્ધ કરી નથી, અને ડાવિને આવા ફરકે ગૃહીત માન્યા છે તેથી તેના વિચારોમાં આ વસ્તુ વિષે ગોટાળા ઉત્પન્ન થએલા હોવા જોઈએ. 1 Genetical theory of natural selection by R. A. Fisher. Evolution by means of Hybridization by J. P. Lotsy, For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy