SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય પૂર્ણ સ્વતંત્ર તે બ્રહ્મપ્રાપ્તિ કર્યા પછી જ થઈ શકે (Taylor) ત્યાં સુધી સૃષ્ટિના નિયમાનુસાર વર્તવાનું રહ્યું. સામાજિક કારની અવાસ્તવિક કલ્પનાથી સમાજનું ધ્યેય અલૌકિક અને નફા તેટાના મેળમાં આવી ગયું. આની કલ્પના સ્વીકારનારથી સમાજ પડી ભાંગે તેમાં નવાઈ પણ નથી. દરેક સમાજરચનાને કંઇ પણ તાત્વિક ઉગમ હોય છે અને તેને એય પણ હોય છે. પરંતુ આ ધ્યેય અને સમાજરચનાની જાત અને પ્રકાર સમાજની વ્યકિતઓના અધિકાર પર આધાર રાખે છે. જે ભુંડેને સમાજ રચાય તે તેમના સમાજમાં માત્ર વિષ્ટા ખાવાની, મેળવવાની અને વિહાર કરવાની એટલે કે તેમના અધિકારની બાબતને અંતર્ભાવ કરવામાં આવે છે. સેક્રેટીસ જેવા ફીલ્સને સમાજ થાય તે જ્ઞાન સંપાદન કરી બુદ્ધિનું સમાધાન કરવાની, સર્વ વ્યકિતઓમાં નીતિ ફેલાવવાની અને આત્મતૃપ્તિ શૈધવાને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે સમાજમાં નાના પ્રકારની વ્યક્તિઓ હોય છે. તેથી જ ગીતામાં કહ્યું છે કે, सुखमात्यंतिकम् यत्तबुद्धिग्राह्यमतीन्द्रियम्।। મનુષ્યની મૂળભૂત જરૂરીઆ ત્રણ પ્રકારની હેય છેઅન્ન, સ્ત્રી અને સ્પર્ધા. જ્યાં જ્યાં મનુષ્ય છે ત્યાં ત્યાં ઉપરની ત્રણ બાબતનું અસ્તિત્વ હોવાનું જ. તેમાંથી કોઈક માત્ર અર્થને લક્ષમાં લઈ સમાજરચને કરશે, તે તે રશીઆના સમાજ જે સમાજ થશે, રશીઆની સમાજરચના એ એક પ્રયોગ છે. તેનાં પરિણામ જોવા માટે એકાદ બે પેઢી ભી જવાની જરૂર છે. કારણ આવી એકાંગી રચનાઓ ભાગ્યે જ બે પેઢીઓ કરતાં સૃષ્ટિમાં વધુ ટકી શકે છે. માત્ર કામરેજ કેંદ્રસ્થાને મુકી સમાજરચના કરવામાં આવે તે અર્ધા યુરેપ જેવી અને અર્ધા આફ્રીકાના જંગલી કે જેવી સ્થિતિ થાય. માત્ર પારલૌકિક કે અતિ માનુષ્ય કલ્પનાઓ પર સમાજરચના કરવામાં આવે તે બુદ્ધ ભગવાનના વિહારે જેવી કે પ્રાચીન ખ્રિસ્તી માટે For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy