SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંઓનું સમાપનાશાય mannanninaandamarakannanahnamaanan જશે વર્ષા કેરા દિવસ પ્રિય છે ! અસ્ત થઈને, અગસ્તિને તારે, ફરી ચમકશે નીલ ગગને. વારૂ! મુખ્યત્વે કરીને રા. દસ્તરી કહે છે તે દેશવિષયક અર્થ કેવી રીતે ક્યાં બેસે છે એટલું જ જવાનું છે. તેઓશ્રી માને છે કે એકાદ આખો વંશને વંશ જે એક વસતિસ્થાનમાંથી નીકળી બીજા વસતીસ્થાનમાં જાય તો શી હરક્ત છે ? અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે એક વસતિરથાનમાંથી અત્યંત વિભિન્ન એવા વસતિસ્થાનમાં જનારો વંશ તદ્દેશીય સંકર કર્યા સિવાય શુદ્ધ સ્થિતિમાં રહી શકે કે કેમ ? આ પ્રશ્નનો જવાબ નકારમાં આવે તે તે વંશ સામે બે માર્ગો ખુલ્લા હોય છે, એક તે તેણે વંશ શુદ્ધ રાખવા માટે મરી જવું. અથવા તે તદ્દેશ સાથે સંકર કરી ભળી જવું એટલે અહીં સંકરપ્રજાનો નવો પ્રશ્ન ઉભો થાય છે. વળી સંકરપ્રજા કયાં સુધી સ્થિર સંસ્કૃતિ ઉત્પન્ન કરી શકે એ પણ વિચારવાનું છે, આ પ્રન અગત્યને છે. તેને વિચાર આગળ કરીશું. અહીં તો શુદ્ધવંશની સ્થિતિ કેવી થશે તેને જ વિચાર કરીશું. આ રીતે એક જ વંશ લઈને તેને વિચાર કરવામાં આવ્યો હોય એવો બાલ્ટિક સમુદ્રની આસપાસ ઉત્પન્ન થએલે નોડિક વંશ જ છે. આ વંશના ઇતિહાસનું ટુંકમાં પર્યાલચન કરીએ. આ વંશ પ્રથમ બાટિક સમુદ્રની આસપાસ ઉત્પન્ન થયો એમ દેખાય છે. ત્યાંથી દક્ષિણ તરફ આખા યુરોપમાં અનેક સ્વારીઓ કરી તે વંશના લેકે આખા યુરોપમાં ફેલાતા ગયા. એ વંશ ઉત્તમ લડાયક હોવાથી જગતમાં અનેક દેશે છતી તે દેશમાં ઉચ્ચ વર્ગ થઈને રહ્યો. સામાન્ય રીતે આ વંશનો બાંધે ઉંચે હોય ૧ Passing of a great race-Madison Grant; Racial realities in Europe-Stoddard; Rising Tide of colours-Stoddard Heredity and Eugenieos by Gates For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy