SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મલિક પતિઓ અને નિસર્ગ novenian નનનન થયો પરંતુ હવે તે વિવાહ સંસ્કારને બદલે અનિયંત્રિત પ્રેમ (Free love) શરૂ કરવો વગેરે સિદ્ધાંત ફેલાવા લાગ્યા છે ! તેમના હિતાહિતની ચર્ચા યથાવકાશ થશે જ, સિદ્ધાંત જે હિતકારક ઠરે તો ખુશીથી એવા આચાસ શરૂ કરવા પરંતુ અર્થ શાસ્ત્ર શું, અને કામશાસ્ત્ર શું એ બને ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ તે ગૌણ જ છે. કારણ કે ધર્મશાસ્ત્રમાં જે મૂલ્ય છે તે અલૌકિક છે, તેવા અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રમાં ન હોવાથી આ શાસ્ત્રોને ગૌણ માનવા પડે છે. બુદ્ધિપ્રામાણ્યવાદી અમસ્તી જ પિતાની ગેરસમજુતી કરી લે છે; પછી પોતે મુંઝવણમાં પડે છે અને બીજાને પણ મુંઝવણમાં પાડે છે. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કહે છે કે, “ચાયત્ત ધર્મ ” ધર્મ અને કામની પ્રાપ્તિ અગર પૂર્તિ અર્થશાસ્ત્રથી અથવા રાજકારણશાસ્ત્રથી થાય છે પરંતુ સમાજની વિશેષ માહિતી ધરાવતા ધર્મશાએ કહ્યું છે કે રાજકારણ કરતાં ધર્મ, શાસ્ત્ર વધારે બળવાન છે. 'स्मृत्योर्विरोधे न्यायस्तु बलवान् व्यवहारतः । अर्थशास्त्रातु बलवद्धर्मशास्त्रमिति स्थितिः ॥' याज्ञवल्क्य મનુષ્યને સમાજાંતર્ગત માનીએ તે મનુષ્ય એટલે કોણ ? સમાજ એટલે શું ? તે બંનેને પરસ્પર સંબંધ કે હે જોઈએ ? વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સમાજાંતરગત મનુષ્ય પૂર્ણ સ્વતંત્ર છે કે પૂર્ણ પરતંત્ર ? કે થોડી ઘણી બાબતમાં સ્વતંત્ર અને બાકીની બાબતમાં પરતંત્ર છે ? તેમ હોય તે કઈ બાબતમાં પરતંત્ર છે અને કઈ બાબતમાં સ્વતંત્ર છે? વ્યક્તિહિત અને સમાજહિત–બંનેમાંથી કાને પ્રધાન અને કેને ગૌણ માનવું? ઈત્યાદિ પ્રનોને સમાજરચના સાથે બહુ નિકટનો સંબંધ છે. જે આ પ્રશ્નનો જવાબ તેવી સમાજરચના થશે વ્યક્તિને પ્રધાન્ય દેનારા સમાજમાં, રચના વ્યક્તિપ્રધાન થશે, નહિતર તે સમૂહપ્રધાન અગર જાતિપ્રધાન થશે. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy