SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાજિક નીતિન પાયો પાયા પર પણ રચાએલાં નથી એવા કાર્લ માકર્સ કે એના અનુયાચીઓ ગમે તે કહે. તેથી અમે ફરીથી કહીએ છીએ કે સમાજના દરેક કાર્ય માટે શ્રમ વિભાગણીના તત્ત્વપર રચાએલો એકાદ નિયત વર્ગ હોવા જોઈએ. એ સમાજની ઉત્ક્રાંતિનું લક્ષણ છે, અધોગતિનું નહિ? વળી સ્વાર્થ ત્યાગ કરનારાઓએ ક્યાં તો પર સ્વાર્થત્યાગ કરવો એ કહેવાનું તે બાકી રહે જ છે. આ બાબત સમાજે હાથમાં લઈ થોડી ઘણી વ્યક્તિઓ પર જુલમ કર્યા વગર શક્ય નથી. આવી રીતે સમાજના જ હિત માટે તેની અંદરની કેટલીક વ્યક્તિઓને યજ્ઞ કરવાની જરૂર છે, નહિ તે સમાજ વીંખી નાખવા જોઈએ ! જે યજ્ઞ કરે જ હોય તો તે શ્રેષ્ઠ કરવા કરતાં કનિષ્ટને કરવો એ શું સમાજહિત માટે સારું નથી ? આ બધું ઠીક છે, પરંતુ જેણે સમાજ વિષયક બાબતેને ઉંડે અભ્યાસ કર્યો છે તેઓ જ આ સમજી શકશે. દુઃખથી કષ્ટમય જીવન વ્યતિત કરી જીવનયાત્રા પુરી કરનારા કામગાર વર્ગને આ તત્વજ્ઞાનને કંઈ ઉપયોગ છે એમ અમે માનતા નથી શ્રમવિભાગનાં તત્ત્વ વડે જેના નશીબે હલકું કે નિર્વેતન કાર્ય કરવાનું આવશે તે મનુષ્ય અગર વર્ગ એમ જ કહેશે કે “મને તમારા સમાજ કે એનું રક્ષણ બંને સાથે કંઈ કર્તવ્ય નથી, કારણ કે તેમાં મને કાલ્પનિક સ્થાન પણ તમે આપી શકતા નથી. સમાજનાં ઉચ્ચ ધ્યેયો જે તમે કહે છે એ હું સમજી શકતો નથી અને તે સમજી લેવાની મારી ઈચ્છા પણું નથી, તેથી સમાજક્ષણ એ નીતિશાસ્ત્રનો પાયે બની શકે નહિ. જગતમાં રાજકીય, સામાજિક કે ધાર્મિક કઈ પણ કાંતિઓને ઈતિહાસ જોઈશું તો એમ જણાશે કે એ બધી ક્રાંતિઓના મૂળમાં મત્સર હતું. સમાજ ક્રાંતિનું સ્વરૂપ કયારે પણ ક્રાંતિ કરતે નથી થેડી ઘણી મત્સર યુક્ત વ્યકિતઓના હાથે જ કાંતિ થાય 6 Principles of economics by Seligman. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy