SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાબેધ વસ્તુ ભેગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહા તાપ, અનંત શેક, અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતાં નથી. સંસારનાં પ્રત્યેક સુખવડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેને ત્યાગ કરીને એગમાં પરમાનંદ માની સત્ય મને વીરતાથી અન્ય પામર આત્માઓને ભતૃહરિ ઉપદેશ છે કે – भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्यं, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्पा भयं, शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताद्भयं, सर्व वस्तु भयान्वितं भुषि नृणां वैराग्यमेवाभयं. ભાવાર્થ –ભેગમાં રોગનો ભય છે, કુળને પડવાને ભય છે; લક્ષ્મીમાં રાજાને ભય છે; માનમાં દીનતાને ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળને ભય છે; અને કાયા પર કાળને ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. !!! મહાયોગી ભતૃહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજજવળ આત્માઓ સદેવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાએનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી-સંસારકનું તાદશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. આખા તિહાર જે વસ For Private And Personal Use Only
SR No.020098
Book TitleBhavna Bodh Mokshmala
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1964
Total Pages261
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy