SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે ત્યારે તે કલમો બાટલીમાંથી કાઢી જુદી જુદી કુંડોમાં ફેરવવી અને તે કુંડાં થોડી મુદત તડકો ન લાગે એવી જગ્ય રાખવાં. નાહાની એકજ કલમ વાવવી હોય તે તેમાટે નાહાની સાંકડા મવાળી બાટલી ચાલશે. બાટલીમાંનું પાણી જ્યારે બગડેલ જણાય ત્યારે તે કાઢી નાંખી નવેસરથી ભરવું. રાત્રિની વખતે ઘણી ટાવાડ ન લાગે એવી રીતે બાટલી રાખવી જેઇએ. એ કલમોનો જેટલો ભાગ બાટલીમાં જવાને તેટલા ઉપરનાં પાંદડાં કાઢવાં. બાટલી ઉપર કલમનાં માથાં રહેશે, તેનાં પાન કાઢવાં નહિ. પાણીમાં વાવવા માટે કલમો તેના માથાં સુદ્ધાંની એટલે છેડા સુદ્ધાંની જેઈએ. વકળ અને પાણીમાં કલમો વાવી નવાં ઝાડ કરવાની રીતએક કાચનું છીંછરું ખુલ્લાં મેંવાળું ઠામ જેને ઇન્વેજીમાં “પ્યાન” કહે છે તે લઈ તેને તળિયે રૂપેરી વેકુળ ત્રણ ઇંચ ભરવી અને એ કુળ ઉપર અર્ધ ઇંચ ચડે એટલું પાણી એમાં રેડવું. બાદ જે કલમોનાં ઝાડ કરવાં હોય તેની માથાંભર કલમો તાજી કાપી તુરત એ વેકુળમાં બબે ઈંચને છે. વેકુળમાં આશરે દોઢ ઇંચ જાય એવી રીતે વાવવી. એ કલમવાળું ઠામ ઓશરીમાં ટેબલ ઉપર અગર બીજી જગ્યે જ્યાં એને તડકે કે ઘણી ચંડી હવા ન લાગે એવી જગ્યે રાખવું. એવી રીતે વાવેલ કલમોને થોડા દિવસમાં મૂળ તથા નાં પાન ફૂટશે એટલે તે કલમે એ કાચના ઠામમાંથી કાઢી મૂંડાંમાં ફેરવવી. કલમો કાચના ઠામમાંથી કાઢતી વખતે તેનાં મૂળ જે રેતીમાં હોય તે રેતી સાથે સંભાળથી કાઢી મૂંડામાં તે રેતી સાથે વાવવી જોઈએ. એ માટે વેકુળ જોઈએ તે અતિ સ્વચ્છ રૂપેરી હોવી જોઈએ અને For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy