SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ઊંચાઈમાં નળીઆનાં ઠીકરાં ભરવાં અને એ ઠીકરાં ઉપર નારીએળીના કાથાને આશરે પા ઈચનો થર લેવો, અને એ ઉપર એક ભાગ પાંદડાંનું સાવ સડેલ ખાતર તથા એક ભાગ રૂપેરી વેકુળ અગર એવી વેકુળ ન મળે તો નળીઆનાં ઠીકરાને ભુકો એક ભાગ મિશ્ર કરી એ મિશ્રણ પેટીના મથાળેથી આશરે અઢી ઈચ નીચે સુધી આવે એવી રીતે સરખું ભરવું અને એ મિશ્રણ ઉપર રૂપેરી વેકુળનો અગર નળીઆનાં ઠીકરાંના ભુકાને દોઢ ઈંચ જાડે થર લેવો, બાદ એમાં પેટીની ચારે બાજુમાં ત્રણ ત્રણ ઈચને છેટે પેટીની અંદરની બાજુને અડીને કલમો ત્રાંસી, તેનાં માથાં પેટીના ગરભ તરફ નમતાં રહે એવી રીતે, વાવવી અને એ પેટીની ચારે બાજુ બે ઈંચ જો ખુલ્લી રહે એવડી કાચની કેમ આશરે સાત આઠ ઈંચ ઊંચી લઈ પેટી બહાર રહેલ કલમોના ભાગ એ કેમ નિચે ઢંકાય એવી રીતે એના ઉપર ઢાંકવી. એ કાચની કેમની બહારની બાજુએ પેટીને મથાળે જે બળે ઈચ જ રહેશે તે ઉપર દરરોજ સાંજ સવારે ઝીણા વિધવાળા ઝારેથી, કાચ પલળે નહીં એવી રીતે, પાણી દેવું. એ કાચની કેમની અંદરની બાજુ પાણીનાં ટીપાં જોવામાં આવશે તે પાંચમે ઇદે દિવસે એ કેમ ઉપાડી કપડાથી લુસી પાછી જેવી હતી તેવી મુકી દેવી. એ પેટી મહેલી કલમમાંથી કોઈની છાલને કરચલી પડશે તે તે કરચલીવાળી કલમ અગર કઈ કલમ ઉપર ધોળા રંગની ખુરસી ચઢશે તે એ કરચલીવાળી અને ખુરસીવાળી કલમો ઉગવાની આશા રાખવી નહીં. માટે એવી કલમો ઉપર કરચલી કે ખુરશી જેવામાં આવે ત્યારે તરત કાઢી નાંખવી. બાકી રહેલ કલમોને મૂળ કુટયા પછી તેની નિચે જે પાંદડાંનાં ખાતરનું મિશ્રણ હોય છે For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy