SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેડવું. એટલે બાર મહીનામાં એ ખાડામાંનાં પાંદડાં સાવ સડી જઈ તેનું માટી જેવું ખાતર બનશે. (૧૧) લીલું ખાતરનીદમણ તથા બીજી લીલી વનસ્પતિ જે બીજા કામમાં આવતી નથી તે જમીનમાં દાટી દીધાથી ટુંક મુદતમાં સડી જઈ તેનું ખાતર થાય છે. કેટલીક જગ્યે જ્યાંહાં જમીનમાં સેંદ્રિય પદાર્થો થોડા હોય છે અને ખાતર છેટેથી લઈ જવું ઘણું મેંવું પડે છે ત્યાં એવી જમીનમાં સણુ, ગળી, કળથી વિગેરે જાતને મેલ વાવી તેને ફૂલ બેસે એટલે તે જમીન સાથે ભેળવી દેય છે. એવાં ખાતરથી રેતાળ જમીનને વધારે ફાયદે થાય છે, કારણ એથી તે જમીનની ભીનાશ શેકી લઈ તે રાખી લેવાની શક્તિ વધે છે. (૧૨) હાથલા થોર અને કંટાળાની વાડે કાપી નિચી કરવામાં આવે છે ત્યારે તેનું સેરણ જે બીજા કામમાં ઝાઝું આવતું નથી, તે એક ખાડામાં દાટી દઈ તે ઉપર આશરે છ ઇંચ માટીને થર લેવો અને એકાદ વખતે એ ખાડામાં પાણી છોડવું, એટલે ટુંક મુદતમાં એ સડી જઈ તેનું ખાતર બનશે. એવી રીતે દાટેલા થોરના અને કંટાળાના કટકા ઉગતા નથી. એ રણ મોગરીથી કચરીને ખાડામાં ઉપર લખ્યા પ્રમાણે દાટવામાં આવે તે વધારે ટુંકી મુદતમાંજ એ સડી જઈ તેનું ખાતર બનશે. (૧૩) છાણું લાકડાની રાખ એ એક ઉત્તમ ખાતર છે. એ સેજ સાજ કઈ છોડને વધુ દેવામાં આવે તે પણ તેથી નુકસાન થવાની બીક નથી. ખાતર તરીકે વાપરવાની રાખ પાણીથી છેવાઈ જાય એવી જગાએ રાખવી નહીં, કારણ એના ઉપર વર્ષદ અગર બીજું પાણું પડ્યાથી એમાંના ઉપયોગી પદાર્થ જોવાઈ For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy