SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) છાલ લીસી હોય છે, કેટલાએકની અખડબખડ હોય છે. એનાં પાકેલ ફળને સારે વાસ આવે છે અને તે ખાધે સ્વાદિષ્ટ હેય છે. સાહેબ લોકો એની જેલી એટલે મુરઓ કરે છે અને ઘણે ફેરે તે યુરોપમાં પણ એકલે છે. જામફળીનું લાકડું ઘણું કઠણ અને ચિકણું હેય છે, તેથી તેના બંદુકના કુંદા કરે છે નિલગિરિ ઉપર એક જાતનાં જંગલી જામફળનાં ઝાડ છે તેની સટી ઘણી સારી થાય છે. જામફળીનાં ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણ ઉચી જાતની જમીનમાં ઝાડ હોય તો ફળ મોટો અને લેહેજતવાળાં આવે છે. એનાં નવાં ઝાડ બીજથી, દાબની કલમથી અગર ગુટીથી થાય છે. સારી જાતનાં ઝાડની દાબની અગર ગુટીથી કલમે લઈને લગાડવી, એ નવાં ઝાડ કરવાનો સહેલો માર્ગ છે. બીથી કરેલ ઝાડ કરતાં એને ફાલ વેહેલે અને સારે આવે છે. કેટલાએક બગીચાના ગ્રંથમાં જામફળીનાં ઝાડ બી શિવાય બીજી રીતે થતાં નથી એમ લખેલ જોવામાં આવેલ છે, પણ ગેંડળના બાગમાં જે જામફળીનાં ઝાડે છે તે ઘણાંખરાં દાબના કલમથી અને ગુટીથી જ કરેલાં છે. જામફળને વિસ્તાર વધારે થાય ત્યારે તેની ડાળીઓ પારવવી જોઈએ. ઝાડ જુનું થઈને એને જ્યારે બાબર ફાલ આવતો નથી ત્યારે એને થડથી ખામી કરવું, એટલે નવી ફુટ જેરથી થશે અને તેને ફાલ સારો આવશે. જમફળીનાં ઝાડને ફાલ ૪૦ થી ૫૦ વર્ષ સુધી સારે આવે છે. બીજથી રેપા કરીને ઝાડ કરવા હોય તો એનાં બીજ ક્યારામાં ફુટ પુટને છેટે વાવવાં અને તેને ત્રીજે ચોથે દિવસે પાણી દેવું. રેપ બાર મહિનાના થાય એટલે તેની દડ કાઢી પંદર 26 For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy