SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) આંગળ જાડાઈની. અને ત્રણ ત્રણ આંખવાળી નિરોગી જોરદાર ડાળીઓના કટકા લઈ જે જયે એના રોપા તૈયાર કરવું હશે, તે જયે કયાર કરી તેમાં થી સવા રુટને છે. તેને ત્રીજો ભાગ જમીનમાં જાય એવી રીતે હારમાં લગાડવાં. અને વર્ષ ન હોય ત્યારે તેને ચોથે દિવસે પાણી દેવું એટલે એ કલમોને વાવ્યા પછી આશરે બે માસમાં મૂળ ફુટવા લાગશે તથા નવા પાન પણ આવશે. એ કલમો વળતા ચોમાસા સુધી એ કયારામાંજ રહેવા દેવી. વળતા માસામાં એ જે તકતામાં લગાહવી હશે, ત્યાં બાર બાર ફુટને છે. ત્રણ ત્રણ ફુટ વ્યાસના અને તેટલાં જ ઊંડા ખાડા કરી તેમાં એ રોપા તેની દડબો કાઢી ફેરવવા. એ ખાડામાં એ રોપાની પિંડ ફરતી જે ખાલી જ રહેશે તે અર્ધ ભાગ ઉકરડાનું સડેલ ખાતર તેટલીજ મારી સાથે ભેળવી તેથી ભરવી, એ પ્રમાણે ફેરવેલ રોપાને વર્ષાદ નહીં હોય ત્યારે આઠમે દિવસે પાણી દેવું. એટલે એ ઝાડોને બીજા વર્ષથી ફાલ બેસવા લાગશે. અંજીરની દાબની કલમો પણ થાય છે. અંજીરને ફાલ આવવા લાગ્યા પછી એટલે તે નવા તકતામાં ફેરવ્યા પછી ત્રીજા વર્ષથી નબર મહિનામાં તેની ડાળીઓને મૂળ પ્ર. ૮ માં લખ્યા મુજબ સારેવા જોઇએ અને એની જુની ડાળીઓ બીજે ત્રીજે વર્ષે કાપવી જોઇએ. અને દરેક ઝાડને બે બે સુંડલા સડેલ ખાતર દઈ ચોથે દિવસે તેને નવી ફુટ થતાં સુધી પાણી દેવું જોઈએ. સારી ફૂટ થયા પછી તેનો ફાલ લેતાં સુધી પાંચમે છ દિવસે ભરપૂર પાણું દેવું જોઈએ. ફાલ લીધા પછી તેને પાણી દેવું બંધ કરવું. તેને બીજી વખત ફુટ થવાનો વખત આવે એટલે પાછુ ખાતર દઈ પાણી દેવું સારું કરવું. અંજીર ઉપર ઘણું કુળ બેસે ત્યારે તે પારવાં કરવાં. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy