SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૫ ) પછી તેનાં થડને છાંણુ ભાટી, જમીન ઉપર ગાર કરવા માટે જેવી તૈયાર કરે છે તેવી તૈયાર કરી, તેને લેપ દે. બીજી રીતે બંધ કરેલ પેટી આવેથી તે પણ ઉપર જણાવ્યા મુજબ એક અંધારી ભિની હવાવાળી જગ્યામાં લઈ જઈને ઉધાડવી. એમાંથી એક એક ઝાડ કાઢી કુંડમાં સુકી માટી નાંખી તેમાં વાવવાં. એ કુંડાને ઝાડ વાવ્યા પછી સાત આઠ દિવસ સુધી બિલકુલ પાણી દેવું નહીં. એ ઝાડોનાં કુંડાંના ઉપરના ભાગ ઉપર એટલે થડ અને માથા ઉપર દરરોજ પિચકારીથી ત્રણવાર પાણી છાંટવું પણ એ પાણું એનાં મૂળ ઉપર જવા દેવું નહીં. એ ઝાડનાં કુંડાં જે અંધારી જગ્યામાં મૂક્યાં હશે તે જગ્યાને તળિયે અને આજુ બાજુમાં દિવસમાં બે ત્રણવાર પુ- " કળ પાણી છાંટી ત્યાં ભિની અને ઠંડી હવા રેહે એવી રીતે કરવું. કુંડમાં ઝાડ વાવ્યા પછી સાતમે આઠમે દિવસથી તે કુંડાંને થોડું થોડું પાણી દરરોજ દેવું. એ ઝાડ ફુટ કરવા લાગે એટલે તેને દરરોજ એકવાર પુષ્કળ પાણી દેવું જોઈએ, અને એ કુંડાં અજવાળામાં લાવવાં પણ એ ઝાડ જેરમાં ઉગવા લાગે ત્યાં સુધી તેના ઉપર સૂરજને તાપ પડવા દેવે નહીં. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy