SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૪ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - - - - - - - - - - - - - - - - - - - - - નેતરની ગાંઠને ઘસી પાવાથી પેશાબ છૂટે છે. અથવા કપૂરને ભૂકે લઈ રૂમાં લપેટી તેની બત્તી બનાવી પેશાબના છિદ્રમાં મૂકવાથી પેશાબ તરત છૂટે છે. અથવા આઠ તલા આંબાહળદર અને એક તેલ ફુલાવેલી ફટકડી વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી તલના તેલમાં મેળવી ચટાડવાથી તનખિ પ્રમેહ મટે છે. અથવા માલતિચૂર્ણ, સર્જરસ, રૂપરસ અને સૂર્યાવત મેળવીને બન્ને વાલનાં પડીકાં દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી પ્રમેહ મટે છે અથવા રેવંચીની ખટાઈ તેલા સોળ તથા સૂકાં શિંગોડા તેલા આઠનું ચૂર્ણ કરી, સાકરની ભૂકી સાથે ૦ ૦ તોલાને આશરે ફકાવવાથી પ્રમેહ મટે છે. રેવંચીની ખટાઈ તોલા સેળ, શંખજીરું, તોલા સેળ અને સેનાગેરુ તેલા બે એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી એ બે વાલ દિવસમાં ત્રણ વખત આપવાથી પ્રમેહ મટે છે. શેરી લોબાન (ઇસેસ) તલા આઠ તથા સેના ગેરુ તો એક વાટી વગાળ કરી એકેક વાલનું પડીકુ તલના તેલ સાથે ચટાડવાથી પ્રમેહ મટે છે. વિલાસિની વલભ રસ-પારે, ગંધકને ધંતૂરાના બીજ સરખે ભાગે લઈ તેની ધંતૂરાના તેલમાં ગોળી વાળવી એવું વૈદ્યજીવને લખેલું છે. પણ ધંતૂરાના તેલથી ગોળી બનાવી અસંભવિત હોવાથી પારે, ગંધક તથા છાશમાં બાફેલાં ધંતૂરાના બીજ લઈને તેની કાજળી કરી તે કાજળીને ચૌદ દિવસ સુધી ખલ કરી, તેમાંથી અર્ધા વાલનું પડીકું દિવસમાં ત્રણ વખત સાકરના પાણી સાથે આપવાથી જૂના પ્રમેહ ઉપર ઘણી સારી અસર કરે છે. ગર્ભવિલાસ રસ-પારે, ગંધક અને રથયુ એ ત્રણેને સમભાગે લઈ વાટી કાજળી કરવી. એ રસ ગર્ભિણી સ્ત્રીને આપવા માટે નિઘંટુ રત્નાકરે ફરમાવ્યું છે. પરંતુ ગર્ભિણી સ્ત્રીને આપવાથી તેમાં વાન્તિ અને બ્રાનિત થવાનો સંભવ હોવાથી અમે આપી શક્યા નથી, પરંતુ જે પ્રમેહમાં તીવ્ર વેદના સાથે માત્ર પેશાબને For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy