SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ - . . .. . તા . છે. આથી મૂત્રને રંગ તેલિયા તથા ચીકણે જણાય છે, તેને કફજ મૂત્રકછુ કહે છે. જ્યારે ત્રણ પ્રકારનાં લક્ષણે ત્રણે પ્રકારની પીડાવાળાં જણાય છે, ત્યારે સન્નિપાતજ મૂત્રકૃચ્છુ કહેવાય છે. - જ્યારે મૂત્રને વહેનારી નળીઓમાં પેટમાં રહેલા ગર્ભથી સંકોચ થાય છે, અથવા હાજરીમાંથી કોઈ પદાર્થ બસ્તિમાં ઊતરી પડી મૂત્રનળીઓને વીંધી નાખી અપાનવાયુને કે પાવે છે, ત્યારે ભયંકર મૂત્રકૃચ્છું થાય છે, તેને સત્યજ મૂત્રકછુ કહે છે. જ્યારે અપાનવાયુને અતિગ, પાચકપિત્તને હીનાગ ને લેદન કફને મિથ્યાગ થાય છે, ત્યારે વાયુ મળને અત્યંત સૂકવી આધમાન, શૂળ સાથે પેશાબને બંધ કરે છે, જેને મળથી ઉત્પન્ન થયેલ મૂત્રકૃચ્છુ કહે છે. અપાનવાયુ મૂત્રાશયમાં રહેલા કફને સૂકવીને તેની પથરી બનાવે છે. આ પથરી વાયુથી પ્રેરાઈને મૂત્ર નળીની સામે આવવાથી પીડા સહિત શેડો છેડો પેશાબ થાય છે, તેને અમરજન્ય મૂત્રકૃચ્છુ કહે છે. જ્યારે વાયુ, પિત્ત અને કફને પરસ્પર હીન, મિથ્યા અને અતિગ થવાથી વીર્યવાહિની શિરાઓમાં વિર્ય સુકાઈ જવાથી વીર્યની સાથે છેડે થોડે પેશાબ ઊતરી મળદ્વાર તથા ઉપસ્થ ઈન્દ્રિયમાં તીવ્ર વેદના થાય છે, તેને થકજ મૂત્રકછુ કહે છે. એવી રીતે આઠ પ્રકારના મૂત્રકૃચ રગ ગણેલા છે. પરંતુ એકંદરે જોતાં વાયુને અતિગ થવાથી પિત્તને હીનાગ થાય છે, અને કફને મિથ્યાગ થાય છે એટલે મળ અને ધાતુઓ વિકારને પામી સુકાય છે. આથી મૂત્ર વેદનાસહિત થોડું થોડું ટપકે છે તેને મૂત્રકૃચ્છ કહેવાય છે. મૂત્રઘાત રેગડ-પેશાબનું અટકી અટકીને આવવું અથવા પેશાબ તદ્દન બંધ થઈ જે એને મૂત્રઘાત રોગ કહે છે. અપાનવાયુના અતિવેગથી અને કલેદન કફના હીનાગથી તથા પાચકપિત્તના મિથ્યાગથી, જુદાં જુદાં લક્ષણવાળો અને જુદાં જુદાં For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy