SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સમાં ત્રણ વખત સાકરના ભૂકા સાથે આપવાથી યકૃતમાં શેાધન થઈ પીળાશ ઓછી થાય છે. ૨. વિકળાનું ઘી (નંબર ૧૦) દરદીને રોટલી પર તેમ જેને ખોરાક આપવામાં આવે, તેની સાથે પણ આપી શકાય છે. એ ઘીમાં ઘઉંના લોટની પૂરી તળાવી ખાવા આપવી અથવા દરદીને મિષ્ટાન્ન જમવાની ઉમેદ હોય તે ઘઉંને લેટ તેલા ૧૦, વિકળાનું ઘી તેલા ૫, સાકરને ભૂકો તેલા ૫, ઘીમાં ચૂરમું બનાવી લાડુ વાળી રાખવા. તેમાંથી એકથી બે લાડુ ઈચ્છા હોય ત્યારે આપવી. વિકળાના ઘીને ચમકાર ઘણે સારે છે. ત્યાર બાદ શક્તિ લાવવા માટે મૂત્રમાં તયાર કરેલા મંડૂરવાળું નવા યસ ચૂર્ણ વાલ ૨ થી ૪ સવારે આઠ વાગે તથા સાજે ચાર વાગે ગેળ અથવા સાકર સાથે આપવું. આ પડીકાં સાતથી ચૌદ દિવસ સુધી આપવાથી શરીરમાં સંપૂર્ણ શોધન થઈ શક્તિ આવે છે અને શરીર પૂર્વ બાંધા પર આવી જાય છે. ૧. કેલેરા–“શિવાક્ષાર પાચન”વાલ ૪ થી ૮ ગરમ પાણી સાથે ઝાડેઊલટી બંધ થતાં સુધી દર અડધાથી એક કલાકે આપવું. તેનાથી પેટ નહિ ચડતાં તેવી ચાર પડીકી પેટમાં જવાથી ઝાડા-ઊલટી બંધ થાય છે અને દરદીનું શરીર ગરમ રહે છે. ૨. રાજવટી લીંબુના રસમાં બે વાલની ગોળી દરેક ઝાડા ઊલટીએ એક એક ગોળીને મેં માં રાખી રસ ગળ. એ પ્રમાણે ૮ થી ૧૦ ગળી પેટમાં જવાથી ઝાડા-ઊલટી બંધ થાય છે અને દરદીનું શરીર ગરમ રહે છે. ઝાડા-ઊલટી બંધ થયા પછી કૃમિને ઉપદ્રવ જણાય તે કૃમિઘ દવાઓ આપીને દૂર કરે. આ દરદને હમલે શાંત થયા પછી શરીરમાં પૂરતી શક્તિ આવે ત્યાં સુધી બીજા દીપન-પાચન ઔષધે થોડા દિવસ શરૂ રાખવાં જરૂરનાં છે. જે પાછળની સારવાર બરોબર નહિ થાય તે પરિણામે આ દરદ For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy