SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ગાળી પુનઃ પકાવવું. પકાવતાં જ્યારે એક શેર પાણી શેષ રહે, ત્યારે ઠંડું પડવા દઈ તેમાં મધ શેર એક મેળવવું. માત્રા તેલા ૩, દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવી. ગુણ ઉપર પ્રમાણે છે. ઘનસ બનાવવાની કૃતિ-નાગકન્યાદિ કષાયને ભૂકે (ઉકાળ્યા વિનાને) શેર ૧, પાણી શેર ૧૬ નાખી ચાર દિવસ રાખી પાંચમે દિવસે ઉકાળવું. ઉકાળતાં પાણી શેર બે રહે ત્યારે ગાળી બીજા વાસણમાં ગાળેલ પ્રવાહી નાખી પુન: ઉકાળવું. તે જ્યારે ૧૦ થી ૧૨ તલા રહે, ત્યારે ઉતારી ચીનાઈ અથવા કેડીના વાસણમાં તેલ ચોપડી ઉપરનું પ્રવાહી નાખી સૂર્યના તાપમાં રાખવું. કવ ભાગ સુકાતાં ચારથી પાંચ દિવસ લાગશે. સુકાયેલ ઘસવ સહેજ નરમ તેલા પ ઊતરશે. માત્રા આખા દિવસમાં મળી તેલ ૧ દિવસમાં ત્રણથી ચાર વખત પાણી તોલા ૩ ઉમેરી આપવું. ઘનસત્વમાં વરાળનું પાણી મેળવી પ્રવાહી કરી, ચોથા ભાગનું મધ મેળવી ફિલટર પેપરથી ગાળી રાખવાથી બગડતું નથી. અમે ઉપર મુજબ ઘણે વખત વાપરી વિશેષ અનુભવ માટે બહાર પાડેલ છે. કોઈ પણ જાતના કબજિયાતવાળા તાવમાં ગરમાળે, મીઠીઆવળ તથા ગેમૂત્રનું ઘનસત્વ એગ્ય માત્રા મેળવી આપવાથી સારો ફાયદો થાય છે. યકૃત તથા બરોળની વિકૃતિથી આવેલ તાવમાં નવસાર અથવા શંખદ્રાવ સાથે આપવાથી સારું પરિણામ આવે છે. વિદેષજવરમાં સુવર્ણ—કવાથી સાથે આપવાથી ઘણું સારું કામ કરે છે. સર્વ પ્રકારના જવરમાં અપાય છે. –વૈદ્ય રવિકાન્ત અને શાન્તિકાન્ત ઉદાણું–બાલંભા જુલાબની ગોળી-નેપાળાનાં બીજનાં ફેતરાં કાઢી નાખી કપડામાં પોટલી બાંધી, એક પહોર સુધી દૂધમાં દલાયંત્રની વિધિ પ્રમાણે મંદાગ્નિથી પકાવીને સાફ કરીને તેમાં ગુલાબનાં ફૂલ, કાળી દરાખ અને ગુલે અરમાની, એ ચારે સમભાગે લઈ, પ્રથમ For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy