SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે નાગ; સમભાગે લઈ લીંબુ તથા આદુના રસમાં ખાલી મારી જેવડી ગળીવાળી,ઊના પાણી સાથે આપવાથી આઠ પ્રકારનાં શૂળ મટે છે. ૭. શેકેલા ઝેરકચૂરા, ગંધક, સૂંઠ, મરી, પીપર, સિંધવ, હરડેદળ અને કુલાવેલી હિંગ; એ બધાંનું ચૂર્ણ કરી વાલ ૧, ઊના પાણી સાથે આપવાથી શૂળ મટીને ભૂખ લાગે છે. ૮. સાબરશિંગાની ભસ્મ લે છે અને હિંગ તેલ વા એ બેને એકત્ર કરી છે તેવા ઘી સાથે ચાટવાથી શુળ મટી જાય છે. ૯. રાજગરીનાં બીજ ૧ વાલને આશરે પાવાથી વાઢ મટી જાય છે. ક-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. સૂંઠ, સાજી અને હિંગ સમભાગે લઈ બારીક ચૂર્ણ કરી ગરમ પાણી સાથે આપવાથી શૂળ મટી જાય છે. ૨, આમળાંનું ચૂર્ણ ઘીસાકરમાં આપવાથી મતકશાળ મટે છે. પ-વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદેદ આસન રૂા. ૨ ભાર. સૂઠ રૂ. ૨ ભાર, હીમજી હરડે રૂા. ૪ ભાર અને સંચળ રૂા. ૪ ભાર લઈ એને વાટી વસ્ત્રગાળ કરી છે રૂપિયા ભાર વજને પાણી સાથે આપવાથી બે વખતમાં ગમે તેવી ચૂંક, હશે તે મટશે. ૬-વૈદ્ય નંદરામ પ્રાગજી વકીલ-નાગેશ્રી ૧. કડુ તેલે ૧, ગરમાળાનો ગોળ તેલે ૧, ઇંદ્રવરણ તોલે ૧, લસણ તોલો , કેરડાનાં કુમળાં ફળ તેલ ૧, કાચકાની મીજ તેલે ૧, રાઈ તેલે છે, પીપર તેલે છે, હિંગ તેલે અને ગૂગળ તેલ ૧, એ સર્વને વાટી કુંવારના રસમાં ચણીબેર જેવડી ગાળીએ કરવી. પછી કુંવારના રસમાં અગર ગરમ પાણીમાં For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy