SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે દળ, બહેડાંની છાલ, આમળાં, સૂંઠ, ગરમાળો, જેઠીમધ અને પીપરીમૂળ એ સર્વ સમભાગે લઈ, અધકચરાં ખાંડી, તેમાંથી દરરોજા તેલે લઈ ને શેર પાણીમાં ઉકાળી, તેમાં મધ નાખી પીવાથી વીસ દિવસમાં વાળાનું ઝેર નાબૂદ થઈ જતુઓને નાશ થાય છે. ઉપલા ચૂર્ણને વસ્ત્રગાળ કરી મધ સાથે પણ ચાટી શકાય છે. --વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત વાયવરણાનાં પાનને વાટી તેને લેપ કરવાથી એક જ દિવ. સમાં વાળ મટે છે. –એક વૈવરાજ જેમનું નામઠામ મળ્યું નથી કબૂતરની અઘાર, કળીચૂને, મૂળાનાં બીજ અને સાબૂએ સર્વને એકત્ર વાટી પાણીમાં મેળવી વાળા, ઉપર થેપલી મૂકવાથી વાળો મટે છે. –વૈદ્ય વાસુદેવ નાગરદાસ-જસકા સસલાની લીડી વાટી ગોળમાં ગોળી કરી સાત દિવસ આપવું. ઊંદરની લીંડી તથા સાબૂ તેલમાં ખદખદાવી બાંધવું. – મણિલાલ જાદવજી જોષી-કાનપર ઈગેરિયાનાં મૂળની છાલ વાટી તેની થેપલી વાળા ઉપર મૂકી પાટે બાંધો અને નીચે જણાવેલું તેલ સહેવાતું ગરમ સિંચવું. તેલ-ઝેરી પરળિયે કે જે થર ઉપર થાય છે, તેનાં પાનનો રસ શેર , ઈગેરિયાના મૂળની છાલ તોલા ૫, (ખરી કરેલી) બજરનાં પાનને રસ તેલા ૫ અને રસકપૂર તેલ ૧, બારીક વાટીને તલનું તેલ શેર ૧ લઈ કડાઈમાં નાખી ચૂલે ચડાવી ધીમે તાપે ગરમ કરી, તેમાં ઉપરના રસ તથા છાલનું ચૂર્ણ ધીમે ધીમે નાખતા જવું અને ફીણ બેસી જઈ માત્ર તેલ રહે, ત્યારે ગાળી લેવું. વાળા ઉપર આ તેલ સિંચ્યા કરવાથી વાળાનાં ગૂંચળાં નીકળી પડશે. –વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગ્રેજી For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy