SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાતુ, ઉપધાતુ, શોધન ને મારણ ૧૧૩ તાભમ:-તાંબાને નગેડના રસમાં છમકારવાથી શુદ્ધ થાય છે. પછી તેનો ભૂકો કરાવી બળજીભીના રસની ભાવના આપી ગજપુટ આપ. પછી કેરડાની કુંપળાના રસની સાત ભાવના આપી, એજ ટૂંપળની લૂગદી કરી તેમાં ભસ્મ નાખી ભાખરી બનાવવી. ત્યાર બાદ કેરાને વાટી કલ્ક કરી એક રામપાત્રમાં અડધો કલ્ક પાથરી કૂંપળની લૂગદી કરી મૂકી, તેની ઉપર ભસ્મવાળી ભાખરી મૂકી કુંપળની લૂગદી મૂકી, તેની ઉપર કેરાંને કલ્ક મૂકી બીજુ રામપાત્ર ઢાંકી કપડમટ્ટી કરી ગજપુટ આપો, જેથી સફેદ અત્યુત્તમ ભસ્મ થાય છે. એ ભસ્મ પિત્ત પર સાકર તથા માખણ સાથે, વાતરોગ પર ગૂગળ સાથે, કફવાત પર મધ-પીપર સાથે, ગુમ પર હિંગ સાથે, અશરેગ પર સૂરણના રસ સાથે, સંગ્રહણ તથા પ્રમેહ પર ગળોસત્વ સાથે, અજમે, સાકર, મધ સાથે અથવા મધ, સાકર અને ઘી સાથે આપવાથી પુષ્ટિ આપે છે. હતાલમઃ -વરખ હરતાલને ગાંગડે લઈ કળીચૂનાના પાણીમાં ત્રણ દિવસ બૂડતા રાખી ચોથે દિવસે બહાર કાઢી ધોઈ ઈન્દ્રવરણાંનાં ફળમાં મૂકી ચારપાંચ કપડમટ્ટી કરી સૂકવી સવાશેર અડાયાંમાં ફેંકી દેવું. એ પ્રમાણે એકવીસ ઇવરણમાં ફેંકવાથી શુદ્ધ ભરમ થાય છે. અશ્વભરમઃ-વજ બ્રક લઈ તેને શુદ્ધ કરી ધાન્યાશ્વક કરવી. પછી મહુડાના શીરામાં ગજપુટ આપ. મૂત્રમાં ત્રણ ગજપુટ તથા ડુંગળીમાં, હડસાંકળમાં, થરના દૂધમાં, પંચામૃતમાં, મૂળા ના રસમાં, આકડાના દૂધમાં અને આવળના રસમાં એ દરેકમાં ઘૂંટી અકેક ગજપુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. પ્યભસ્મ -ઝીણી દુધેલીનાં પાન લાવી છાંયડે સૂકવી ચૂર્ણ કરી, એક છાણા પર પાથરી શુદ્ધ ચાંદીનાં કંટકથી પતરાં ગોઠવી ઉપર બીજું ચૂર્ણ પાથરી છાણ મૂકી ફૂકી દેવાથી ભસ્મ થાય છે. For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy