SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીરોગના ઉપાય ટેપ - - - - - - - - - તેલ કે પરું ચાવી ખાવું. આ ચૂર્ણ સ્ત્રીની સુવાવડની અશક્તિને મટાડી ધાવણને વધારી દૂધ ઉતારે છે. ખટાશ ખાવી નહિ. ૨. ફુલાવેલી ફટકડીનાં એક વાલનાં પડીકાં પતાસાંના પાણી સાથે દિવસમાં ત્રણ વખત આપવાથી સાત દિવસમાં રક્તપ્રદર મટે છે. ૩. સમલનાં છેડાં ચોખાના ધોવણમાં ઘસીને મધ મેળવી દિવસમાં ત્રણ વાર પીવાથી લેહીવા મટે છે. ૪. બીલીપત્રને રસ તેલ ૧ તથા ઘી તેલે ૧ એકત્ર કરી, દિવસમાં બે વખત પાવાથી ત્રણ દિવસમાં લેાહીવા બંધ થાય છે અને અતિ આતવમાં ઘણે સારો ફાયદો કરે છે. ૫. કબૂતરની અઘાર ૧ થી છે તે સફેદ ખાંડમાં મેળવી ફાકી મરાવી, ઉપરથી ચોખાના ધાવણમાં સાકર નાખીને પાવાથી ત્રણ દિવસમાં લેહીવા બંધ થાય છે. ૬. ઊંદરની લાડી ભાગ ૫, કબૂતરની અઘાર ભાગ ૫, મચરસ ભાગ ૫, સુખડને વહેર ભાગ ૫, ધાવડીનાં ફૂલ ભાગ ૫ અને સાકર ૩૭ ભાગ મેળવી વસ્ત્રગાળ ચૂર્ણ કરી સવારસાંજ છે તે બકરીના દૂધ સાથે ફાકવાથી રક્તપ્રદર અને લેહીવા મટી જાય છે. ૭ કબૂતરની અઘાર, ઊંદરની લીંડી અને સાકર સરખે ભાગે લઈ ચૂર્ણ કરી બબ્બે આનીભાર, દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી શ્વેતપ્રદર મટે છે. ૮. કેસૂડાંનાં ફૂલ તલા ૪ તથા દર્ભનાં મૂળ તોલા ૪ વાટી વસ્ત્રગાળ કરી તેના ૧૪ ભાગ કરી, સવારે ૧ ભાગ પાણી સાથે ફકાડ. ચૌદ દિવસમાં ગમે તે પ્રદર શાંત થાય છે. For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy