SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેગ ૮૭૫ - - - - - - - - - - - - - - - - - - - - વાથી, કિંવા ઇન્દ્રિયને ચાળવાથી કે દાબવાથી અથવા શુક્રની ગતિને પરાણે ખેંચી અટકાવી રાખવાથી જે યોનિ અથવા લિંગ પર ની ચામડી ફાટી જાય છે, તેને અવપાટિકા કહે છે. વાયુના સંબંધથી ઈન્દ્રિય પીડિત થતાં ઈન્દ્રિય પરની ત્વચા સૂજી જઈ મણિને ઢાંકી દે છે. તે મણિ ચામડીમાં ઢંકાઈ જવાથી પેશાબના માર્ગને અટકાવ થાય છે, તેથી પિશાબની ધાર ન થતાં તેનાં ટીપાં મળે છે, તેમ છતાં મૂળ ટપકતાં તણખા ઊઠતા નથી, પણ મૂત્ર બહાર આવી ચામડીને કુક્કાની પેઠે કુલાવે છે અને તે મૂત્ર ટપકી ગયા પછી બેસી જાય છે અને તે ઢંકાયલે મણિ ખુલ્લે થતું નથી, તેને નિરુદ્ધપ્રકાશ કહે છે. મળમૂત્રાદિની ગતિને પરાણે દાબી રાખવાથી ગુદાશ્રિત વાયુ ઘેરાઈને ગુદાને અવ ધ કરી, મળદ્વારને માર્ગ સૂફમ કરે છે. તે મળદ્વારને માર્ગ એવી રીતે સંકેચાવાથી ઘણું કઈથી મળ ઊતરે છે. આ ભયંકર વ્યાધિ અનિરુદ્ધગદના નામથી ઓળખાય છે. ઝાડા થયા પછી બાળકની ગુદા છેવામાં નથી આવતી અથવા તેના ઉપર પરસે વળ્યા પછી બાળકને નવડાવવામાં નથી આવતું, તે રક્તકફને લીધે વલૂર છૂટે છે અને ખંજવાળતાં તેના પર ફેલાઓ ફૂટી નીકળે છે, જે ઝરવા લાગતાં અને અન્યથી જોડાઈ જાય છે, તેવા આ ભયંકર વ્યાધિને અહિપૂતના કહે છે. સ્નાન કરતાં જે માણસ પોતાના શરીરને મેલ ઘસીને કાઢી નાખતા નથી, તે મેલ જામીને પિપડા બાઝે છે. આ મેલ પરસેવાથી ભીંજાતાં તેમાં ઘણું ચળ આવે છે અને વલૂરતાં તરત જ ફેલ્લીઓ ઊઠી આવી, તે પાકી તેમાંથી રસી ઝરવા માંડે છે. ખાસ કરીને આ રોગ કોથળી ઉપર વધારે થાય છે, તેથી તેને વૃષણકછુ કહે છે. શરીરે સુકાય તથા અશક્ત એ કોઈ પુરુષ કરાંને દસ્ત કરવાને મથતાં અથવા અતિસારથી ગુદાને છેડેક ભાગ બહાર નીકળી પડે છે, For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy