SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુગ ૮૭ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સ્વરૂપમાં બરાબર પ્રગટ થઈ વિક્રિયાને પામે છે, ત્યારે દોડાદેડ કરીને દશગણા પૈસા ખર્ચે છે, તે પણ અંતે તે દરદ મટતાં નથી, પરિણામે કઈવાર શરીરને ઉપયોગી ભાગ કાપી નખાવો પડે છે. મુદ્રામાં જેને ચામડીના રંગ જેવી ગાંઠે વાળી, મગના જેવડી ફેલ્લીઓ થાય છે, તે અજગલિકા કહેવાય છે. જેને કફ-વાયુમાંથી જવના દાણા જેવી કઠણ ગઠવાળી, માંસના આશ્રયે રહેલી જે ફેલ્લી થાય છે, તે યવપ્રખ્યા કહેવાય છે. કફવાયુમાંથી કઠણ, વગર મુખની, લગાર ઊપસેલી ફેલ્લી થાય છે અને તેની આસપાસ ચાઠાં પડે છે તથા તેમાં પરુ ઓછું હોય છે, તેને અંધાલજી કહે છે. પિત્તના સંબંધથી મોટા મુખવાળી, બળતરા કરવાવાળી, પાકેલા ગુલ્લરના ફળ જેવી અને આસપાસ ચાઠાં પડેલી જે ફેલ્લી થાય છે, તે વિવૃતા કહેવાય છે. કફવાયુમાંથી ગાંઠે પડેલી સંખ્યામાં પાંચ કે છે, કઠણ અને કાચબાની પીઠ જેવી ઊપસેલી કેલીઓ થાય છે, તેનું નામ કચ્છપિકા છે. ગરદન, ખભે, બગલ, હાથ, પગ, સાંધાઓ તથા ગળું, આ સ્થાને પર કીડીઓનાં દર પર જેવી ટેકરીઓ હોય છે, તેવડી ત્રિદોષજનિત ગાંઠ થાય છે, તેને ઉપાય જે વખતસર કરવામાં નથી આવતે, તે તે ગાંઠ ધીમે ધીમે મટી થઈ, તેને ઘણાં મુખ થાય છે અને તેમાંથી રસીને સાવ થાય છે. આ ગાંઠનાં મુખ ઊંચાં થયેલાં હોય છે અને તે ગાંઠ કાંડા ઉપર થતી ખસની માફક ફેલાય છે. એ ગાંઠ જૂની થયા પછી તેનું ઓસડ કરવું મિથ્યા છે, તેથી એનું નામ વાલ્મિક પાડ્યું છે. વાયુ અને પિત્તના વેગથી કમળફેલની વાટિકા જેવી એક ફોલી વચમાં થઈ, તેની આસપાસ બીજી નાની નાની ફેલીઓ થાય છે, તેનું નામ ઇન્દ્રવૃદ્ધા છે. વાતપિત્તમાંથી ગેળ ઊપસી આવેલું લાલ રંગનું ફલીઓથી ઘેરાયેલું એવું જે ગેળાકર ચાકું પડે છે અને For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy