SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પ-ડૉકટર મગનલાલ વ્રજભૂષણદાસ–સુરત નાસૂર તથા હાડ ગંભીરનો મલમઃ-ચપટી મેથી લઈ તેમાં જરા ઘી મૂકી મેથીને બાળી નાખવી. પછી તેને ઘૂંટીને મલમ બનાવ. એ મલમ લગાડી ઉપર કાળા મલમની અથવા ગમના મલમની પટી મારવાથી નાસૂર પુરાઈ જશે અને રૂઝ આવશે. તેમજ વારેવારે ઊભળતું હશે તે પણ ફરી ઊભળશે નહિ અને જનમારાનું દુખ જશે. ૬-વિધ મનસુખલાલ લલુભાઈ-સુરત સરજાદિ મલમ -ભિલામાં ૧ શેર લઈ તેને નવટાંક તલના તેલમાં તળવાં. જ્યારે ભિલામાં ફૂલી જાય અને તેલ કાળું પડી જાય એટલે નીચે ઉતારી તેલ ગાળી લઈ લેવું. એ તેલ નવટાંક, મીણ ચાર પસાભાર અને રાળ ચાર પૈસાભાર વાટી વસ્ત્રગાળ કરી દેવતા ઉપર મૂકી, એકરસ કરી ઉતારી ઠંડું થયે પટી બનાવી મારવાથી ભગંદર, વણ વગેરેને મટાડે છે. ૭-વૈદ્ય રવિકાન્ત અને શાંતિકાન ઉદાણું–બાલંભા વ્રણશોથહર લેપ:-(પાઠ શારંગધર સંહિતાને પણ ફેરફાર સહિત) બિજેરાનું મૂળ, છડી, દેવદાર, સૂંઠ, રાસ્ના, અરણીનું મૂળ, અસંઘ મૂળ તથા નવસાર એ સર્વ સમાન ભાગે પાણીમાં વાટી જાડો લેપ કરી દિવસમાં બે વખત ચોપડે. આ લેપથી કેઈ પણ જાતને સોજો મટી જાય છે. ૮-વૈદ્ય કનૈયાલાલ પુરાણુતાલ (માળવા) રૂઝને મલમ-સંદેસરાના ઝાડના પાલાને લાવી વાટી તેમાં શંખજીરું ચપુ વડે કાતરીને મેળવી, જખમ ઉપર મૂકવાથી નાસૂર વગેરે નહિ રુઝાય તેવા જખમને જલદીથી રૂઝ લાવે છે. For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy