SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિધિગ, ૭૫ રોગી સુકાઈને હાડપિંજર જેવો થયે હોય, તેને ગલગંડ મટતા નથી, પણ તેમાંજ રેગી આખરે મરે છે. ગંડમાળ–અપચિરાગ -મેદ અને કફથી બગલ, ખભા, ગરદન અથવા ડોક અને ગળું એ ઠેકાણેને ઉદાનવાયુ મેદ અને કફને વ્યવસ્થિત નહિ રાખી, માંસપેશીઓની પાસે રહેલા બીજા માંસના કટકા કરી, તેને સાધકપિત્તના તાપથી તપાવી, કફ અને મેદમાં વીંટાળી, મેટા બેર જેવડી અથવા આમળા જેવડી ઘણું ગઠને ઉત્પન્ન કરે છે અને તે બહુ દિવસે ધીરે ધીરે પાકે છે. તે ગાંઠની હારને ગંડમાળ અથવા કંઠમાળ કહે છે. આ કંઠમાળામાં એવું જોવામાં આવ્યું છે કે, પ્રથમ ત્રણ ગાંઠ જણાય, તેમાંથી એક પાકે, બીજી ફૂલે, ત્રીજી નીકળતી હોય એટલે પાકેલી રુઝાય, વધતી હોય તે પાકે અને નવી નીકળે. એમ કરતાં કરતાં હાંસડીની ઉપરના ખાડામાં અને હાંસડીની બહાર ગળાની સાથેથી બેઉ બાજુ ઉપર ગાંઠેની હાર બંધાઈ જાય છે, તેને કઠમાળ કહે છે. એ જ પ્રમાણે અંડ સુધી એટલે બદ થવાને ઠેકાણે, બગલમાં, ખભામાં, ગરદનમાં, ડેકમાં નાનાં અણુબેર જેવડી કિંવા તેથી મેટી એ કેડી ગાંઠ નીકળે છે. અને જે તે વાયુપ્રધાન હોય તે પાકતી નથી, પિત્તપ્રધાન હોય તે પાક્યા વિના રહેતી નથી અને કફપ્રધાન હોય તે ઘણે કાળે પાકે છે. તે ગાંઠેને અપચિના નામથી ઓળખવામાં આવે છે. ગ્રંથિરેગ-જ્યારે શરીરમાં વાયુ પિત્ત અને કફ પરસ્પર હીન, મિથ્યા અને અતિગને પામી, માંસ, રક્ત, મેદ અને રગો અથવા નસોને દૂષિત કરી, સાતે સાધુના વહનને અટકાવી, તે સ્થાને વહેતી ધાતુઓને રેકી, વાયુ તેને સૂકવી, પિત્ત, કફ તથા વાયુ પિતાના ગુણધર્મ પ્રમાણે બળતરા, સ્થિરતા અને જડતાની પીડાવાળી ગેળ, ઊંચી અને કઠણ એવી જે ગાંઠ ઉત્પન્ન કરે છે, For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy