SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - ૫૪. શ્રી આયુર્વેદ નિબંધમાળા થઈને પ્રત્યક્ષ દેખાય, ત્યારે ગર્ભધારણના કાર્ય માટેના અવય પરિપક્વ દશાને પામ્યા છે, એમ સમજી લેવું. જે સ્ત્રીરૂપ ક્ષેત્રમાંથી કેદ, બંટી, નાગલી, બાવટે અને સામે વગેરે ખડધાન્યરૂપી બાલકની ઉત્પત્તિ કરવી ન હોય, તે તે ક્ષેત્રને વધારે શુદ્ધ કરવાને અને તે જમીનનું બળ વધારવાને ઉદ્યોગ કરે જોઈએ અને તે મનુષ્યના હાથમાં રહેલું છે. સ્ત્રીને રજોદર્શન પ્રાપ્ત થયા પછી ૩૬ વાર રજોદર્શન આવી જાય ત્યારે જાણવું કે, આ સ્ત્રીરૂપ ક્ષેત્રમાં હવે ખડધાન્ય જેવી તુચ્છ પ્રજા ઉત્પન્ન થશે નહિ; પરંતુ અન્ન, ફળ અને ફૂલરૂપી ઉત્તમમાં ઉત્તમ મનુષ્યરત્નની ઉત્પત્તિને લાયક એ ક્ષેત્ર થયેલું છે. તે પછી પુરુષે પણ પિતાને બીજને કેઈ પણ જાતને સડો લાગુ ન પડે અને તેમાંનું ઓજસ નાશ ન પામે, તેટલા માટે પોતામાં પરિપકવ દશા ઉત્પન્ન થાય ત્યાં સુધી તે બીજનું વિધિપૂર્વક રક્ષણ કરી, પછી ક્ષેત્રમાં વાવવાના પ્રયત્નમાં જોડાવું. એની પણ ક્ષેત્રની પેઠેજ પરીક્ષા કરવાની છે. એટલે કે, જ્યાં સુધી દાઢી અને મૂછના વાળ ઊગી, તે ભરાઉ દશાને પામી સુશોભિત બને નહિ, ત્યાં સુધી વિય પરિપકવ અને શુદ્ધ બન્યું નથી એમ સમજી તેનું રક્ષણ કરવું અને એટલા માટે આયુર્વેદાચાયોએ કહ્યું છે કે – પ્રવિંશતિ વર્ષ જુના નારિ તુ પશે समत्वागतवियतौ, जानियात् कुषालेमिषक् ।। બાવીસ વર્ષના પુરુષ અને સોળ વર્ષની કન્યામાં પરિપકવ, શુદ્ધ અને ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરનારાં રજવાર્ય બને છે. તે વૈદ્ય! ઉત્તમ ફળની આશા રાખનારા ગૃહસ્થને આ પ્રમાણે આયુર્વેદની આજ્ઞાનું શ્રવણ કરાવે. એવા પરિપકવ દશામાં આવેલા બીજ અને ક્ષેત્રનાં ધારક મનુષ્ય તુરત સમાગમમાં આવે છે કે તે વખતે For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy