SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચને ૪૯ પંચભૌતિક અન્નાદિકના આહાર પ્રાણવાયુથી પ્રેરિત થઈને આમાશયમાં જાય છે. પછી તે છ રસવાળા આહાર મધુરભાવને તથા ફીણના રૂપને પ્રાપ્ત થાય છે; કારણ કે આમાશય કફનું સ્થાન છે અને કફને મીઠે રસ છે. એટલા માટે એ સ્થાનમાં ગયેલા છ પ્રકારનાં રસવાળાં અન્ને મિષ્ટભાવને પામે છે અને એ મિણ અવસ્થાવાળા રસને આમાજીર્ણ કહેવામાં આવે છે. તે પછી તે આહાર, તેજ આમાશયમાં પાચકપિત્તના તેજથી પાકીને ખાટે પદાર્થ બને છે. તે પાચકપિત્ત પીળા રંગને પાતળે પદાર્થ છે. જ્યારે તે પૂર્વે કહેલા મધુર આહારમાં મળે છે, ત્યારે તે મધુર પદાર્થને ખાટા બનાવી દે છે. તે પછી તે આમાશયના સમાનવાયુને લઈને ગૃહણી એટલે અગ્નિ સ્થાનમાં લઈ જાય છે. તે ગૃહ સ્થાનમાં કણાગ્નિને લીધે તે આહારને પાક થાય છે. તે પાક કટુ કહેતાં તીખો થાય છે એટલે આહારની પ્રથમાવસ્થા મધુર, બીજી અવસ્થા ખાટી અને ત્રીજી અવસ્થા કટુ કહેતાં તીખી થાય છે. એ આહારને ઉત્તમ પાક થયેલ હોય તે તેને રસ કહે છે અને કા પરિપાક થો હોય તે તેને આમ કહે છે. પૂર્વે કહેલ રસ, અગ્નિના બળે કરીને મધુર ભાવ અને ચીકાશને પ્રાપ્ત થઈને સંપૂર્ણ રક્તાદિ ધાતુઓનું પિષણ કરે છે. એટલા માટે ઉત્તમ પ્રકારે પરિપકવ થયેલો રસ અમૃતતુલ્ય કહેવાય છે અને તેજ રસ, મંદાગ્નિને લીધે વિદગ્ધ થઈને વિષભાવને પામે છે અર્થાત્ કટુ-અમ્લ થઈને પ્રાણને નાશકર્તા થાય છે. કેઈ વખતે તે છેડે હોવાથી મેતનું કારણ થતું નથી, તે પણ દેને દૂષિત કરીને અનેક પ્રકારના લેહીવિકારે, જવર, ભગંદર અને કુષ્ઠાદિ રેગેને ઉત્પન્ન કરે છે. તે આહારના ઉત્તમ પરિપાકને સાર કહે છે અને તે સારથી ઊલટે જે નિસાર પદાર્થ છે તેને મળદ્રવ કહે છે. તે પૈકી જે દ્રવ પદાર્થ છે તે મૂત્રવાહિની શિરાઓ દ્વારા બસ્તીમાં આવીને For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy