SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્યશરીરની રચના ૩૯ એની સમીપમાં રહેનારા સાત ઉપધાતુ છે અને તે બધા વ્યાપારને ઢાંકી સુરક્ષિત ચાલવા માટે ચામડીનાં સાત પડ છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દોષ છે. મનુષ્યશરીરમાં ઢોરીની પેઠે અથવા વેલીની પેઠે ૯૦૦ ધન છે, જેને સ્નાયુ કહે છે. આ શરીરમાં ૨૧૦ સાંધાઓ છે અને કેટલાક આચાયોના મત પ્રમાણે એનાથી અધિક પણ છે. શરીરને આધારભૂત અને મળને આપવાવાળાં ૩૦૦ હાડકાં છે. જીવનાં આધારભૂત ૧૦૭ મમ સ્થાન છે. દોષ, ધાતુ તથા મળને વહેવાવાળી ૭૦૦ શિરા એટલે નસા છે. તેમાંથી રસને વહેવાવાળી ૨૪ ધમની એટલે નાડી છે. પુરુષ-શરીરમાં માંસપેશીએ એટલે માંસના લાંખાટૂંકા ૫૦૦ કકડાઓ છે, તથા સ્ત્રીઓનાં શરીરમાં ૨૦ માંસપેશી અધિક છે. મેાટા મેટા સ્નાચુએ જેને કન્ડરા કહેવામાં આવે છે તે ૧૬ છે. પુરુષના શરીરમાં દશ રધ્ર એટલે છિદ્ર છે અને સ્ત્રીઓનાં શરીરમાં ત્રણ છિદ્ર વધારે છે. એ પ્રમાણે મનુષ્યશરીરના જુદા જુદા ભાગોનુ ટ્રકામાં વણ ન કરવામાં આવ્યું, તેને હવે વિસ્તારપૂર્વક ખુલાસા કરવામાં આવે છે. કળા-પહેલી કળા માંસને ધારણ કરે છે તેથી તે માંસધરા કહેવાય છે. બીજી કળા રુધિરને ધારણ કરે છે તેથી તેને રક્તધરા કહે છે અને એવી રીતે મેદને ધારણ કરનારી મેદધરા કહેવાય છે. યકૃત અને પ્લીહાની ચેાથી કળા છે, જે એ બેઉની મધ્યમાં રહે છે. એટલા માટે એને કધરા કહે છે. આંતરડાંને ધારણ કરવાવાળી પાંચમી કળાને પુરીષધરા કહે છે. અગ્નિને ધારણ કરવાવાળી છઠ્ઠી કળાને પિત્તધરા કહે છે અને સાતમી કળાને શુક્રધરા કહે છે; એટલા માટે એનુ` નામ રેતેાધરા આપવામાં આવ્યુ' છે. આશય-વક્ષ:સ્થળમાં કનુ સ્થાન એટલે કફના આશય છે. કફના સ્થાનની જરા નીચે આમાશય છે. નાભિની ઉપર ડાબી આજી તરફ અગ્નિનું સ્થાન છે તેને ગ્રહણી કહે છે, એ અગ્નિના For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy