SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निबंधमाळा लखवानो उद्देश (લેખક-સ્વ. વૈદ્ય તિલકચંદ તારાચંદ શાહ) અમારા કેટલાક વૈદ્યબંધુઓ તથા ઇતર વિદ્વાનો એ પ્રશ્ન કરે છે કે, આયુર્વેદનાં પ્રાચીન અને અર્વાચીન પુસ્તક એટલાં બધાં છે કે તેની ઉપરવટ જઈ નવાં પુસ્તક રચવાની જરૂર નથી; કારણ કે જે પુસ્તક હાથમાં લઈએ છીએ અથવા નવાં વસાવીએ છીએ, પરંતુ જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે તે સર્વમાં થોડા ફેરફાર સાથે તેની તે વાતો દેખાય છે; અને ઘણાં પુસ્તકોમાં તો એકમાં આપેલા તેના તે જ પાઠે તથા ઔષધો અને તેનાં તે નામે જોવામાં આવે છે. તે પછી આવી નિબંધમાળા લખીને નકામે સમય અને ધનનો વ્યય કરે તથા કરાવવો એ નિરર્થક છે. તેવું કહેનારાઓને ઉપકાર સાથે જણાવવાનું કે, આજકાલ આયુર્વેદનાં પુસ્તકની સ્થિતિ આપ કહો છે તેવી જ છે; અને એવાં પુસ્તક લખવાં-લખાવવાં, છાપવા –છપાવવાં એ આપના વિચાર પ્રમાણે નિરર્થક હશે; એમ જણાય તે પણ આપ નીચેની હકીક્ત ઉપર ધ્યાન આપશે, તે આપને પ્રશ્ન કરવાને અવકાશ રહેશે નહિ. અમે જ્યાં સુધી વિચાર કર્યો અને જ્યાં સુધી જોઈ શકળ્યા ત્યાં સુધી અમારા જેવા-જાણવામાં એટલું જ આવ્યું કે, હાલમાં ચાલતી વિદ્યકવિદ્યામાં દેશી વૈદ્ય એટલે આયુર્વેદીય ઉપચારકના ચાર ભાગ પાડી શકાય છે. પ્રથમ રાજવૈદ્યો કે જેઓ પિતાને પૂર્ણ માને છે; એટલે તેઓને આયુર્વેદીય ઉપચારકની અવસ્થા કે વ્યવસ્થા તરફ ધ્યાન આપવાની જરૂર જણાતી નથી. બીજા વૈદ્યરાજે કે જેઓ આયુર્વેદના જ્ઞાતા અને મહાન ચિકિત્સકે છે; કે જેમાં વિદ્યાનું દાન કરવા સદા તત્પર રહે છે, પણ સર્વ વિદ્યાર્થીઓને પહોંચી વળતા નથી, છતાં બનતું કરી રહ્યા છે. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy