SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુચિ, ઊલટી અને તુષારોગ ૬પ૩ જે માણસને અરુચિ થઈ હોય અને તે અરુચિનું કારણ શેક, ભય, લોભ કે ક્રોધ હોય, તે તે અચિને, તેના કારણને નાશ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ જે કુત્સિત પદા થેના દર્શનથી, ગંધથી કે સ્વાદથી અરુચિ ઉત્પન્ન થયેલી હોય, તો તેવા રેગીને ખાટા, તીખા અને ગળ્યા રસને મિશ્ર કરીને આપવાથી રુચિ ઉત્પન્ન થાય છે. તેમાં જે પાચકપિત્તના અને સાધકપિત્તના અતિવેગથી અરુચિ ઉત્પન્ન થઈ હોય તે આમલીનું પનું (પ્રપાનક) અથવા ખાટી કેરીનું પનું આપવાથી અચિ મટે છે. અથવા દાડમને રસ કાઢી તેમાં થોડું મધ નાખી, ઉપર મરીનું ચૂર્ણ ભભરાવી, ગરમ કરી પીવામાં કે ચાટવામાં આવે, તો અરુચિ મટે છે. પણ જે કઠામાં રહેલા સમાનવાયુ તથા હદયના પાનવાયુ અને ઉદાનવાયુને અતિગ થઈ પિત્તને હીનાગ થયો હોય, તે બિજેરાનું કેશર અગર ચિકેતરું લીંબુ જેને પપન્નસ કહે છે તે, અથવા અનનાસને છોલીને તેમાં મરી, મીઠું અને જરા સાકર મેળવીને ચટડાવવાથી અરુચિ મટે છે. પરંતુ જે રોગીને કફને. અતિગ થવાથી પિત્તને હીનાગ થઈ વાયુના મિથ્યાગથી અરુચિ થઈ હોય તેને આદુ, જીરું, મીઠું, મરી અને સાકરની ચટણી કરી, તે વારંવાર મેંમાં રાખી થકવાથી જીભ સાફ થશે અને રુચિ ઉત્પન્ન થશે. તેવી રીતે કફને અતિગ, પિત્તને હીન ગ અને વાયુને મિથ્યાગ થવાથી જે અરુચિ ઉત્પન્ન થઈ હોય, તેને માટે કાળાં મરીને ભૂકે પાશેર પાણીમાં નાખી તેમાં ડે સિંધવ મેળવી ખટાશ આવે એટલું લાંબુ મેળવી, ગરમ કરી પાવાથી અરુચિ મટે છે. શાકવાળાની પાસે આનંદની વાત કરવાથી, ભયવાળાની પાસે હિંમતની વાત કરવાથી, લેભવાળાની પાસે ઈચ્છિત વસ્તુ મળવાનો સંભવ છે એવી વાતો કરવાથી અને ક્રોધવાળાની પાસે શાંતિની તથા વૈરાગ્યની વાતે કરવાથી, તેના મનને For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy