SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડરોગ, કમળ અને રક્તપિત્ત પદો - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - રાતા લેહીની ઊલટી થાય છે, અને જે મળાશયમાં રહેલા કલેદનકફને હીન થયો હોય તે લેહીના ઝાડા થાય છે અને પિશાબમાં પણ લોહી પડે છે. પરંતુ પિત્તને અત્યંત અતિગ થવાથી જ્યારે કલેદન કફ તથા અવલંબન કફમાં હીનાગ થાય છે, ત્યારે બધા માર્ગથી એટલે મુખ, નાક, નેત્ર અને કાનમાંથી લેહી વહે છે, તેમજ ઉપસ્થ ઇંદ્રિય, નિ અને મળદ્વારથી પણ લેહી વહે છે, તેને રક્તપિત્ત કહે છે. ઘણા ચિકિત્સકનું એવું માનવું છે કે, આ જે લેહી વહે છે તે શરીરને પોષણ કરનારું જીવતું લેહી છે, માટે એ રેગી બચી શકતો નથી. પરંતુ આ રોગને શબ્દજ સૂચના કરે છે કે, એ ઝાડા તથા ઊલટી જે લેહી જેવાં જણાય છે પણ તે લેહી નથી, પરંતુ રાતું પિત્ત છે અને એટલાજ માટે આયુર્વેદાચાર્યોએ એને રક્તપિત્ત એવું નામ આપ્યું છે. નિદાનશાસ્ત્રમાં દોષભેદે કરીને રક્તપિત્તના ચાર પ્રકાર તથા અધીમાર્ગ, ઊદમાગ અથવા ઉલય માળીનું વર્ણન કરેલું છે. તેનાં જુદાં જુદાં લક્ષણે નિદાનશાસ્ત્રો ઉપરથી જાણી લેવાં. અત્રે નીચે તેના ઉપાય લખવામાં આવે છે. રક્તપિત્તના રોગમાં પિત્તને શાંત કરનારા અને કફને વધારનારા દ્રવ્યને ઉપગ કરવાને ચિકિત્સાશાસ્ત્ર ભલામણ કરે છે અને તેથી રક્તપિત્ત મટે છે. પણ અમારા અનુભવમાં એવું આવ્યું છે કે, દારૂડીનાં બીજ છે તે લઈ ઝીણાં વાટી પાણી સાથે ઘૂંટી, તેમાં અધું લીંબુ નિચાવી ચાર તેલા પાણી બનાવી દિવસમાં ત્રણ અથવા ચાર વખત આપવાથી સાધ્ય રક્તપત્તિ હોય તે એક જ દિવસમાં આરામ થાય છે અને ત્રણ દિવસ એ ઉપાય ચાલુ રાખવાથી ફરીથી રક્તપિત્ત ઊપડવાની ભીતિ રહેતી નથી. અથવા થોડીઘણું બાકી હોય તે મટી જાય છે. પણ આ જમાનામાં ‘ભૂત કરતાં ડાકણ ડાહી” એ કહેવત પ્રમાણે વૈદ્ય For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy