SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૩. જાયફળ, જાવંત્રી, મોચરસ, હિંગળક, લવિંગ અને તજ એ દરેક એકેક તેલ, અફીણ, કેસર અને કપૂર અર્થે અર્ધો તોલો લઈ, અફીણ સિવાય તમામ વસ્તુનું ચૂર્ણ કરી, અફીણને પાંચ તેલા આદુના રસમાં ઘૂંટી એકત્ર કરી, નવટાંક ભાંગ ને બશેર પાણીમાં ઉકાળવું. પછી નવટાંક પાણી અવશેષ રાખી ઠંડું થવા દઈચાળીને ગાળી લેવું. પછી એ પાણીમાં સર્વને મિશ્ર કરી ઘુંટતાં ગળી વળે એવું થાય ત્યારે મગ જેવડી ગોળીઓ વાળવી. એ ગોળી મોટા માણસને દર કે બળે અને નાનાને અડધી કે એક ગેળી આદુ કે ફુદીનાના એક તેલા રસ સાથે આપવાથી કેલેરા, અતિસાર અને સંગ્રહણી જેવાં દર યોગ્ય પશ્ય સાથે આ ગોળીનું સેવન કરવાથી મટે છે. આ દવા અધીર અફીણવાળી તથા અધીર અફીણ સિવાયની બનાવવી; તેમજ વિચારપૂર્વક તેને ઉપગ કરવાથી સારું પરિણામ આવે છે, અનુભવસિદ્ધ છે. હવે અંબારામ શંકરજી પંડ્યા-વાગડ - ૧, આમલી તેલા ૯ તથા ભિલામાં તલા ૮ એકવ વાટી, ધળી ડુંગળીના રસમાં કાલવી, લૂગડામાં ઘાલી નિવી રસ કાઢવે; તે રસ પીવાથી કેલેરા મટી જાય છે. - ૨. જાયફળ, સિંધવ, હિંગ, લીંબુમાં તૈયાર કરેલી શંખભસ્મ, સૂઠ, અફીણ, ધંતૂરાનાં બીજ તથા પીપર સમભાગે વાટી લીંબુના રસની અથવા ધંતૂરાના કવાથની અથવા ભાંગના કવાથની ભાવને દઈ, ચણોઠી જેવડી ગોળીઓ કરવી. તેમાંથી એક ગોળી એક પૈસાભાર છાશ, ૧ વાલ ફુલાવેલી હિંગ તથા ૨ વાલ સંચળ મેળવીને પાવી. આથી તત્કાળ કોલેરા બંધ થઈ જાય છે અને પેટ ચડતું નથી. કેલેરાના દરદીને પાણીને શેષ પડતું હોય તે લવિંગને કવાથ કરી પીવાથી શેષ મટી જાય છે. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy