SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સર્વેને સમભાગે લઈ, લીંબુના રસમાં વાટી, ચણા જેવડી ગોળીએ વાળવી. તેમાંથી એક અથવા બે ગેળી પાણી સાથે આપવાથી સાધારણ અજીર્ણ મટી જાય છે અને ભૂખ લાગે છે. ઉપર પ્રમાણે અજીર્ણના ઉપાય કરવાથી તમામ અજીર્ણો મટી જાય છે. માત્ર એક ભરમાજીણનો ઉપાય હાથ લાગ્યું નથી. બેત્રણ રોગી ભસ્માજીર્ણના જોવામાં આવ્યા કે જેઓ આખા દિવસમાં પાંચથી સાત શેર અનાજ ખાઈ જાય, છતાં ભૂખની બૂમ પાડતા રહે, પટે ચડે નહિ અને ઝાડો થાય નહિ. તેમની ચિકિત્સા ઘણી કાળજીપૂર્વક કરી છતાં તે રાગીઓ આખરે મરણ પામ્યા. જેથી અત્રે તેના ઉપાય લખ્યા નથી. આ નિબંધમાં લખેલા ઉપાય સિવાય બીજા ગ્રંથોમાં અજીર્ણના સેંકડે ઉપાયે લખેલા છે, તેમાંથી જે જે વૈદ્યરાજેએ અજમાવી અનુભવ મેળવેલ હોય, તેમણે પિતાને અનુભવ જાહેરમાં મૂકવા તથા વધારે અનુભવ મેળવવા શાસ્ત્રમાં લખેલા ઉપાયો અજમાવવાની વિનંતી કરી, અમે આ નિબંધ સમાસ કરીએ છીએ. अजीर्णना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. નાગેશ્વર ચૂર્ણ-વછનાગ, તજ, પીપર, ઘેળાં મરી, અકલગ, સૂંઠ, અજમો, જીરું, શાહજીરું, પીપળી મૂળ, સંચળ, સિંધવ, વરાગડું મીઠું, શેકેલી હિંગ એ સર્વે એકેક તોલે લેવું. ટંકણખાર કુલાવેલ અને શંખની ભસ્મ, એ ચાર ચાર તેલા લઈ, સને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી હિંગળક તોલા બેને ખરલમાં નાખી સારી પેઠે ઘૂંટી તેમાં થોડું થોડું ચૂર્ણ મેળવતા જવું. જ્યારે સઘળું ચૂર્ણ હિંગળક સાથે મળી જાય ત્યારે લીબુને રસ તેલા પચ્ચીસમાં સારી પેઠે ઘંટી ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણ દિવ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy