SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ગ્રસ્ત રેગીને શાંતિનો ઉપદેશ કરી, વેશે તેવા નમૂનાનાં દ્રષ્ટાંતે કહી, તેના મનનું સાંત્વન કરી, રોગીની આસપાસના સંજોગોમાંથી ભય, શોક અને ક્રોધ ઉત્પન્ન થાય એવા સંજોગોને દૂર કરી, પછી તે રોગીની ચિકિત્સા કરવી. કપભસ્મ –કેડીઓ લાવી કાલસામાં થર ઉપર થર મૂકી તેની ભસ્મ કરવી. પણ એટલું યાદ રાખવું કે, કેલસાને પંખાવતી પવન નાખ્યા કરશે તે તમામ કડીની સફેદ ભરમ થશે. પંખાથી પવન નહિ નાખે તે તાપથી કેડી પાકી તો જશે પણ અર્ધઅર્ધ કાળા રંગની નીકળશે. માટે પવન નાખી સફેદ બનાવી, ઝીણી વાટી ભરી મૂકવી. તેમાંથી એક વાલ ઘી સાથે આપવાથી ભૂખ લાગે છે. સારામૃત-ફટકડી, સૂરેખર, સાજીખાર, સિંધવખાર ખડિખાર-એને ખાંડી પાણીવાળાં નાળિયેર લાવી, તેને કાણું પાડી, નાળિયેરમાંનું પાણી નાળિયેરમાં રહેવા દઈ, ખારને ભૂકો નાળિયેરમાં માય એટલે ભરી, તેના પર કપડમટ્ટી કરી, ડાં અડાયાંમાં મૂકી સળગાવવું, એટલે નાળિયેરની કાચલી તથા કોપરું સર્વ બળી જશે. પછી તે બળેલા નાળિયેર અને ખારને સાથે ખાંડી, વસ્ત્રગાળ કરી શીશીમાં ભરી મૂકવું. એ ખાર ઝાડા થતા હોય તે બંધ કરે છે ને પેટ કબજ હોય તે ઝાડે લાવે છે. કેશવટી --સૂંઠ, મરી, પીપર, હરડે, બહેડાં, આમળાં, તજ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, એલચી, જેઠીમધ, વાયવડિંગ, કમાણ અજમે, કાચકાની મીજ, હિંગોરાંની મીજ, ગરણીનાં બીજ, કેશર એ સર્વે સમભાગે લઈ, તેના સમગ્ર વજને એળિયે લે. એ સર્વેને વાટીને મરીકંથારીનું મૂળ ઘસી, તેના પાણીથી વટાણા જેવડી ગોળી વાળવી. એ ગેળીથી ઝાડો સાફ આવે છે, For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy