SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળ - - - - - - - - - - - - - - - - - વાની ગતિમાં નિયમિત ફેરફાર થવાથી, સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન એવા બે ભાગ પડે છે. એ બે ભાગને જેમ જેમ અયનનો સમય વહેતે જાય છે, તેમ તેમ તેને ત્રણ ત્રણ ભાગમાં વહેંચીને ત્રણ ત્રણ બાતુ કલ્પવામાં આવી છે. તે રાતના સમયે ગથી દરેક વનસ્પતિ ઉપર સૂર્ય અને ચંદ્રનાં કિરણોના પ્રભાવથી જેવી અસર થાય છે, તે તે રસ વનસ્પતિમાંથી ઉત્પન્ન થાય છે. તે છ ભાગનું અથવા તે છાતુના પ્રભાવનું વર્ણન આ પ્રમાણે કરવાનું છે. મેષ અને વૃષભસંક્રાંતિમાં સૂર્ય હોય ત્યાં સુધી ગ્રીષ્મહતુ કહેવાય છે. મિથુન અને કર્મ સંકાંતિના સમયને પ્રાવું ષઋતુ (ચમ સું) કહે છે. સિંહ અને કન્યાસક્રાંતિના સમયને વર્ષો રાતુ કહે છે; તુલા અને વૃશ્ચિક સંક્રાંતિના સમયને શરદબાતુ કહે છે, ધન અને મકરસંક્રાંતિના સમયને હેમંતઋતુ કહે છે અને કુંભ મથા મીનસંક્રાંતિના સમયને વસંત ઋતુ કહે છે. એ યે ત્રાતુઓમાં જેવી રીતે ટાઢ, તડકે અને વરસાદ આવે છે, અથવા તેનું ન્યૂનાવિકપણું થાય છે તેવી રીતે દરેક વનસ્પતિમાં તેવા તેવા ર ઉત્પન્ન થાય છે. ઋતુના કાળધર્મને તપાસતાં આખા વર્ષમાં તડકાની મોસમ બે વખત આવે છે. વર્ષો અને ટાઢ એકેક વાર આવે છે, એટલે સૂર્ય દક્ષિણાયનમાં જતાં જ્યારે સીધાં કિરણવાળે થાય છે ત્યારે શરદઋતુને તાપ પડે છે અને તે સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં જઈ સીધાં કિરણવાળે થાય છે ત્યારે ગ્રીષ્મઋતુને તાપ પડે છે. પૃથ્વીતત્ત્વને સ્વભાવ નીચી ગતિએ જવાને છે; પાણીતત્વને સ્વભાવ ઢળતી જગ્યામાં વહેવાને છે; વાયુતવનો સ્વભાવ તીરછી ગતિએ ચાલવાનો છે, અગ્નિતત્વને સ્વભાવ ઊંચે ચડવાને છે અને આકાશતત્વને સ્વભાવ એ ચારે તને અવકાશ આપ વાને છે. હવે કુદરતનો નિયમ એ છે કે, જ્યાં આગળ અગ્નિ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy