SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રગાની ચિકિત્સા ૧૪૫ અથવા તેથી એછે, એ એને સાથે વાટી પાણી મૂકી રસ કાઢવા; અને તે રસને જરા ગરમ કરી તેમાં ઉપર લખેલી ખાંખલી ની દવામાંથી એક રતીથી એક વાલ સુધીનું પડીકું મેળવીને દિવસમાં ત્રણ વાર પાવું, જેથી ખાંસી અને સસણી (શ્વાસ ) મટી જાય છે.એ પ્રમાણે વરાધ,વાવળી તથા સસણીની જાતા પારખી તેના ઉપચારમાં આ ત્રણ પ્રકારની દવા આપવાથી ઘણાજ ફાયદો થાય છે અને હજારી ખાળકા સારાં થાય છે, પરંતુ વરાધ અને વાવળીવાળા બાળકની માતાને ચીકટ તથા દૂધ ખાવા દેવું નહિ. પણ સસણીવાળું આળક હોય તે તેની માતાને ચીકટ બંધ કરી દૂધ ખાષાની રજા આપવી. જો એકથી ત્રણ વર્ષના બાળકને કૃમિ થયા છે એમ માલૂમ પડે એટલે તે બાળકને ઊલટી થાય, મેહુ ગંધાય, તાવ આવે પણ હાથ પગ ઠંડા રહે, આંખાનાં ચક્કર ફેરવે, ચમકે આંકડી આવે અથવા કાંપે તે જાણવું કે, એ બાળકને કૃમિ થયા છે. તેવી અવસ્થામાં ઉપર બતાવેલા કૃમિકુઠાર રસ ની ગોળી, ખાળકની ઉમ્મરના પ્રમાણમાં દર વખતે એકથી ત્રણુ સુધી દિવસમાં ત્રણ વાર માત્ર પાણી સાથે આપવાથી અને દશ વાસા ઉપરનું તથા છ માસની અંદરનુ બાળક હાય ! માત્ર એક ગાળી દૂધ સાથે મેળવીને આપવાથી કૃમિનો નાશ થાય છે. તે એવી રીતે કે કેટલાક બાળકને કૃમિ પડી જાય છે ને નવા ઉત્પન્ન થતા નથી; કેટલાકના સમાઈ જાય છે. આ ગાળીમાં એવા ચમ ત્કાર છે કે, જેમ ‘સેન્ટોનાઇન’ એકલું અથવા ખાંડમાં મેળવેલી તેની બનાવટા બાળકને ખવડાવવામાં આવે છે, પણ તેની પાછળ દિવેલને જુલાબ આપવા પડે છે અને જો દિવેલના જુલાબ આપવામાં ન આવે, તે તે બાળક પીળું પડી જાય છે; તેમ આ ગાળી ખવડાવ્યા પછી દિવેલના કે ખીજા કાઇના જુલાબ આપ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy