SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રેગની ચિકિત્સા ૧૩૩ હવે વિચાર કર જોઈએ કે જે બાળકને પ્રસવ થયા પછી તેનું તાળવું પોચું પડી જાય છે, જેને આપણે “ગળું પડ્યું છે” અથવા તાળવું પડ્યું છે એમ કહીએ છીએ, તેના ઉપાય તરીકે, તે બાળક જે જમીન પર પેશાબ કરે તે પેશાબવાળી છાણથી લીંપેલી જમીનની માટી ઉખેડી, તેને તાળવાના ખાડા ઉપર મૂકી,તે ઉપર દિવેલ ચેપડી પોચા પડેલા માથાનું આઘાતથી રક્ષણ કરવા માટે તે પોપડાને સુકાવા દઈએ છીએ, જેથી બાળકનું માથું કઠણ થાય છે. પરંતુ બ્રહ્મરંધ્રમાં અને તેની આસપાસ બ્રહ્મવિદ્યાને જાણી, સદાચારથી વર્તી, આદર્શરૂપ બની, જગતને ઉપકાર કરવાની વૃત્તિનાં જે સ્થાન છે તે દબાઈ જવાથી અને જગતને નુકસાન પહોંચાડનારાં સ્થાને બળવાન થવાથી જે અનર્થો ઉત્પન્ન થાય છે, તેવાં બાળકે ઉત્પન્ન કરવામાં પશુવૃત્તિવાળાં માબાપ, ધર્મશાસ્ત્રના બંધનને તેડીને કેવા અનર્થોનાં ભક્તા થાય છે, તેને માટે વર્ણન કરવાની અમારામાં શક્તિ નથી. જે કહેવા માગીએ છીએ તેને ઉપલક દૃષ્ટિથી અવલોકન કરનારા વિદ્વાને, અતિશક્તિ ભરેલું ગણી કાઢશે એવી અમારી ખાતરી છે. છતાં અમે કહી શકીએ છીએ કે, જ્યારથી આ ધર્મશાસ્ત્રની રૂઢિને ભંગ કરી, સ્ત્રીને અગૃહિણી (અઘરણી) થયા પછી, પિતાને ઘેર વિદાય નહિ કરવાને ચાલ વધતો ગયે, ત્યારથી આપણા દેશમાં હીનભાગ્યશાળી, સ્વાર્થવૃત્તિવાળી અને બીજાને નુકસાન પહોંચાડી પિતાને સ્વાર્થ સાધવાવાળી પ્રજા ઉત્પન્ન થતી ગઈ. જેમ જેમ વયને વપરાશ વધતે ગયે તેમ તેમ મનુષ્યના માથાની પરી સંકેચાતી ગઈ, જેથી સગુણેને રહેવાનાં સ્થાને સંકેચ થવાથી, સદ્ગણની વૃત્તિ ખીલવવાનાં સાધનને નાશ થતે ગયે, એટલે દુર્ગુણને વધારે થયે. એટલું કહ્યા પછી, એવી સ્થિતિમાં જન્મેલા બાળકનું ગળું પડે છે તેને લીધે તે બાળકનાં હાડકાં પોષાતાં નથી, શરીર પર For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy