SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૨ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વસ્તુનો અન્વય રહિત અને નાશવાન્ એવો ક્ષણિક સ્વભાવ માનતાં સ્મરણાદિનો અસંભવ તો સ્પષ્ટ જ છે. એકને અન્યનો અનુભવ થાય અને અન્યને અન્યની ઉપલબ્ધિ થાય તો સ્મરણ પ્રત્યભિજ્ઞાનાદિ સંભવતાં નથી. આ પ્રકારે ઐહિક એવા સકલ લોકવ્યવહારનો અભાવ થઈ જશે એ જ સ્થિતિ થઈ; Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૮૨) અને પરલોકનો વ્યવહાર તો સુતરાં અનુપપન્ન થયો, કેમકે કૃતનાશ અને અકૃતાભ્યાગમનો પ્રસંગ આવી પડ્યો. જુઓ, જે કોઈ ક્ષેમાર્થે પ્રવૃત્તિ કરે છે તે તે જ ક્ષણે સર્વથા નાશ પામે છે, કુશળ એવું કર્મ પણ ઉત્પન્ન થતાં તરત જ નિરન્વય નાશ પામે છે, એટલે કૃતનાશ થયો. ચિરકાલથી વિનષ્ટ થયેલા કર્મથી ક્ષણાંતરને વિષે ભવિષ્યમાં ફલોદય માનો તો તે અકૃતાભ્યાગમ થયો. આવું થવું તે કેવલ અસમંજસ છે. એમ જ પ્રાણીઓની મુક્તિ પણ અસંગત છે. જુઓ, અતિતીવ્ર વેદનાથી વિભિન્ન શરીરવાળો, સંસારથી વિમુખ થયેલી બુદ્ધિ વડે સંસારને દોષમય જોનારો, અંતરાત્મવૃત્તિવાળો, સંસારને તજવાને ઇચ્છતો, નિર્વાણમાં પ્રવેશ માટે આતુર, રાગાદિ ક્લેશપક્ષને મથવાને સમર્થ એવા નિર્મળ માર્ગનો આશ્રય કરી, ક્રમે ક્રમે ચિત્ત સંતતિને વિષે જ્ઞાનોદય થતાં પરમ રસ જ્યાં અનુભવાય છે એવા For Private and Personal Use Only
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy