SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૩૩ ભિન્ન છે કે અભિન્ન છે ? એ જ પ્રશ્ન પરંપરા પુનઃ હતી તેવી ને તેવી પ્રાપ્તિ થાય છે, માટે અનવસ્થા છે. ત્યારે જો અનર્થાતરરૂપ કહો તો તે વિદ્યમાન છે કે અવિદ્યમાન છે? જો વિદ્યમાન હોય તો કેવી રીતે થાય છે કેમકે જો થાય તો અનવસ્થા થાય છે. જો અવિદ્યમાન કહો તો તે અવિદ્યમાન હોવા છતા તેનાથી અનર્થાતરરૂપ છે એ બરાબર નથી. અનર્થાતરરૂપ જે વિશેષ તે થતો હોય તો વસ્તુ અનિત્ય બનવાની આપત્તિ આવશે. જાઓ-તે થયો એટલે જે પદાર્થ છે તે જ થયો કહેવાય, કેમકે તે પદાર્થથી ભિન્ન નથી. આ દોષ ન આવે માટે નથી થતો એમ જ સ્વીકાર કરી લો તો તો સહકારી જ વ્યર્થ થઈ ગયો કેમકે તે કાંઈ પણ ઉપકાર કરતો નથી; જો સહકારી છે એમ કહો તો અતિપ્રસંગની પ્રાપ્તિ થાય છે. જાઓ-કાંઈ પણ વિશેષ ન ઉપજાવતો હોવા છતા પણ (પાના નં. ૩૫) સહકારી ને સહકારી કહો તો સર્વે પદાર્થ સર્વે પદાર્થના સહકારી માનવાનો પ્રસંગ આવશે, કેમકે વિશેષ ન કરવા વડે બધા પદાર્થો સમાન છે. આમ આખી સહકારીની કલ્પના વ્યર્થ છે. ત્યારે હવે એમ કહો કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે કંઈ વિશેષ નહીં કરનારા એવા પણ કોઈ પ્રતિનિયત સહકારીને લઈને જ વસ્તુ કાર્ય (જે જ્ઞાન તે) ઉપજાવે છે તો For Private and Personal Use Only
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy