SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજ) જવર પ્રકરણ ( ૪૧ ) એજ મંત્રથી ભૂતાદિને કહાડે. અથવા-ગુગળ, લિંબડાનાં પાન અને સાપની કાંચળી મેળવી ધૂપ દેવે તથા હીંગ, અને લસણ પાણીમાં ઝીણાં વાટી નાકમાં નાસ દે તથા આંખમાં અંજન કરે તે ભૂતાદિ નાશ થાય. એમ તંત્રે પચાર ગ્રન્થમાં લખેલ છે. અથવા તુલસીનાં પાન ૮, કાળાં મરી ૮ અને (શનિવારની સંધ્યાએ નોતરી આદિતવારના પ્રાતઃકાળે કાગડા ન બેલે તે વખત પોતાનો પડછાયે ટાળી પવિત્ર પણે લીધેલી ) સહદેવિની જા એ ત્રણેને મેળવી ગળામાં ધારણ કરે તે ભૂતાદિક દેવ દૂર થાય. આભિચાર કે, અભિશાપથી આવેલા તાવમાં મોહ અને તરસ ઉત્પન્ન થાય છે. અત્યંત શોચ થયા કરે છે, સર્વ વસ્તુમાં ગ્લાનિ ઉપજે, અતિસાર, મૂર્ચ્છા, બ્રમ, દાહ અને મનતસ થયા કરે છે. તથા માનસજ્વર એટલે પુત્ર, મિત્ર, સ્ત્રી ધન અને ઈષ્ટવસ્તુને નાશ થવાથી જે તાવ આવે છે તેમાં પણ ઉપર પ્રમાણેજ ચિન્હ હોય છે. ઉપાય. ઈશ્વર ભજન કરવું એ સર્વોત્તમ છે. તથા પૈર્યતા રાખવી, અને મનને ગમે તેવાં મિટ રૂચિ કરતા ભોજન જમે તે તથા અતિ સ્વાદવંત શાકના ખાવાથી ઉક્ત જવો મટે છે. ઔષધીને ઉગ્ર કે ખરાબ વાસ વા, સ્વાદથી આવેલા તાવમાં મૂછો - છે, કપાળ દુખે છે, ઉલટી થાય છે અને છિકે આવ્યા કરે છે. તેને મટાડવા સુંદર સ્વાદિષ્ટ ઔષધે, રૂચિકર વસ્તુઓ અને સુગધ દ્રવ્ય ઉપભોગમાં લે તે આરામ થાય છે. ઝેરખાવાથી આવેલા તાવમાં મુખ કાળ, શરીરમાં બળત્રા, અન્નનો અભાવે, અતિસાર, તરશ, તીવ્ર પીડા અને મૃચ્છા થાય છે તેને મટાડવા ઝેર નાશના પ્રયોગ કરવા. વિષમજવરનાં લક્ષણ. જે મનુષ્યને તાવ આવતો હોય છતાં કુપગ્ય કરે તેથી, અથવા તે તાવ ઉતર્યા પછી ખાવા પીવામાં–આહાર વિહારમાં એગ્ય રીતિ રાખે નહીં તેથી રસ તથા રૂધિર–આદિ ધાતુઓમાંના કઈ ધાતુને દૂષિત કરીને વિષમજવરને ઉત્પન્ન કરે છે અથવા તાવ આવ્યા વિન શુ આ તાવ આવે છે-એટલે જેને ટાઢ કે ઉને તાવ આવે તથા વધારે આવે કે , . ૬ તેને નિયમ નહીં અને સમય–વખતનું પણ નિયમિતપણું હોય નહીં અથવા વખતસર પણ આવે તે વિષમ જવર કહેવાય છે. તેના મુખ્ય ચાર અથવા પાંચ પ્રકાર છે. સંતત, સતત, અન્ય, તૃતીયક અને ચાતુર્થિક એ પાંચ ભેદ છે. જે સ્વર સાત દિવસ (વાયુનો) દશ દિવસ (પિત્તને) અને બાર દિવસ (કફ) નિરતરપણે રહે તેને સંતતજવર કહે છે. જે વર એક અહોરાત્રિમાં બે વખત આવે તે સતતજ્વર કહેવાય છે. જે જવર અહોરાત્રિમાં એકજ વખત આવે છે તે અન્ય કે અશુષ્ક કહેવાય છે. ત્રીજે દિવસે એકાંતરે તાવ આવે તે તૃતીયવર અને ચોથે દિવસે આવે તે ચાતુ ર્થિક-એથીઓ-તરીઓ તાવ કહેવાય છે. ઉપાય. વિષમજવર વાળાને મગ તથા મઠની દાલ પાર્ણ પાવું, હલકા પથ્ય પદાર્થો For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy