SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) અમૃતસાગર, (તરંગ સુકાયા કરે, નિદ્રા તથા છિક આવે નહીં, શરીર લુડું પડી જાય, માથું દુખેઅંગમાં પીડા, મુખમાંથી છએ રસનો સ્વાદ જતો રહે, મળ ઉતરે નહીં, પેટમાં શળ ચાલે, આફરે ચઢે અને બગાસાં બહુ આવે, તે જાણવું કે વાયુને તાવ છે. . ક્વર માત્રના સામાન્ય ઉપાય. જેને માર મારને તાવ ન આવતો હોય તો, તેને ત્રણ ઉભરા આવી ગયેલું ઉન્હ પાણી પાવું, હલકું લંઘન કિવા મળના બળ પ્રમાણે પથ્થ તથા હલકું ભજન કરવવું, જ્યાં ખરાબ હવા અને બહુ પવન ન આવે તેવી જગ્યામાં તથા ભેજ વગરની સ્વચ૭ જગ્યામાં રોગીને રાખો. સુંદર સુંવાળા ઝીણા બિછાના ઉપર સુવાડે અને ત્રણ દિવસ કડવી તથા કસાયેલી તેમજ રેચ વગેરેની ઔષધીઓ આપવી નહીં. આ યત્ન કર્યા પછી સુંઠ માસા ૪ અને ધાણા માસા ૪, એને કવાથના વિધિ પ્રમાણે કવાથ કરી પાવે, જેથી તાવ જય છે અને ભૂખ લાગે છે. વાતવરના ઉપાય. કરીયાતું, મેથ, વાળે, મોટી રિંગણ, રિંગણી, લિંબડાની ગળો, ગેખરૂ, સર વે, ગધીમેરો અને સુંઠ એ સઘળાં ઔષધે સમાન ભાગે લઈ તેઓને ફૂટી કવાથના વિધિ પ્રમાણે કવાથ કરી પાવાથી વાયુનો તાવ નાશ થાય છે. તથા સુંઠ, લિંબડાની ગળો, ધમાસે, જવા, કાળીપાઠ, કચૂરો, અરડૂસ, એરંડાનું મૂળ અને પૂર મુળ એ સઘળાં ઔષધે લઈ ફૂટી કવાથ કરી પીવાથી ઉપદ્રવ યુક્ત વાયુના કારણથી આવેલે-વાતવર નાશ થાય છે. વાતજવર ઉપર હિંગલેશ્વર રસ. શુદ્ધ હિંગળોક, પીપર, અને શુદ્ધ વછનાગ, એ ત્રણે સમાન ભાગે લઈ ખરળમાં અત્યંત સૂક્ષ્મ પાણી સાથે ઘુંટી ગોળી અરધી રતી પ્રમાણે વાળી ક્રમવાર પાંચ ગોળીઓ સેવન કરવાથી વાતજવર નાશ થાય.” તથા શતાવરી અને લિંબડાનીગળનો રસ એ બનેને સમાન પ્રમાણથી કવાથ કરી તેમાં તેલા ભાર જુનો ગોળ નાખી પીએ તે વાતવર જાય. અથવા કાળીદ્રાખ, પીપર, પિત્તપાપડ અને વરીયાળી એ સઘળાં ૧-૧ તોલા ભાર લઈ તેઓને કવાથ કરી પીવાથી વાતવર નાશ થાય છે. (પણ વાયુના તાવમાં સાત દિવસ પછી કવાથાદિ પગ ઉપયોગમાં લેવા.) વાતવર વાળાને મગ, મઠ, મસૂર અને કલથની દાળનું પાણી પથ્ય છે. પિત્તજ્વરનાં લક્ષણ. • આંખમાં બળતરા બળે, મહીં તીખું રહે, તરણ ઘણી લાગે, ફેર આવે, બકવા બહુ કરે, શરીર ઉનું હોય, તથા અધિક વેગવંત તાવ, પાતળા ઝાડા, ઉલટી, નિદ્રા નાશ, હેટું સુકાય તથા પાકી જાય, પરસેવો થાય, અને મળ મૂવ તથા નેવ પીળાં હોય તે જાણવું કે પિત્તનો તાવ છે. (તે ઉપર પિત્તને શમાવનાર ઔષધે કરવાં. ) પિત્તવરના ઉપાય. નાગરમોથ, ધમાસે, પિત્તપાપડે–વાળે, કરી આપ્યું અને લિંબડાની અંતર છાલ એ સઘળી ઔષધીઓ લઈ તેને વિધિ પ્રમાણે કવાથ કરી પીવાથી પિત્તને તાવ નાશ પામે For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy