SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીશમે. શારીરિક અને ઈદ્રિયવિજ્ઞાન પ્રકરણ. ( ૩ ) ણીથી ન્હાવું એ છ વાનાં તુરત પ્રાણને બળ આપનારાં છે. હેમંતઋતુમાં વાજીકરણના પડે ખાઈ બળ મેળવી પોતાની ઈચછા પ્રમાણે મૈથુન કરવું, શિશિરઋતુમાં મરજી પ્રમાણે, વસંતઋતુ તથા સરદઋતુમાં ત્રીજે દિવસે, વર્ષાઋતુમાં અને ગ્રીષ્મઋતુમાં પંદર પંદર દિવસે મૈથુન કરવું. શીતકાળમાં રાતે, ગ્રીષ્મમાં દિવસે, વસંતમાં દિવસે અને રાતિ, વર્ષમાં મેઘ ગર્જના વખતે અને શરઋતુમાં મરજી પડે ત્યારે મૈિથુન કરવું. પણ, પ્રભાતે, સંધ્યા, મધરાતેં, ગાય છુટે તે વખતે અને બપોરે મૈથુન કરવું નહીં. ગુપ્ત, રમણિક હવા, શોભાયુક્ત મકાનમાં હાસ્ય વિનેદ ગાયન વાજીંત્રાદિના. વિલાસ સાથે વિલાસવતી વનિતા સહ વિલાસ કરે. પુરૂએ રજસ્વળા, રોગી, મેટી ઉમરવાળી, કામદેવના વેગ વિનાની, મલીન કે મલીન વસ્ત્ર-અંગવાળી, દેષિલી, દુબળી, વાંઝણી,–ગરમી આદિ નિના રિગવાળી, અને કડવા બોલી તથા ગર્ભવતી સ્ત્રી સાથે રતિ-ગમન કરવું નહીં. તેમ બહુ જમેલા, ધીરજ વગરના, ભૂખ્યા, દુખતા અંગવાળાએ, રોગી, બાળકે, વૃદ્ધ, મળમૂત્રના વેગવાળા અને મૈથુન કરવાથી જે રોગ વધે તેવા રેગવાળા મૈથુન કરવું નહીં. મંથન કરી નહાઈને સાકર સહિત કહેલું દુધ કે માંસરસ અથવા આસવ પી, ખસના પંખાનો પવન લે, ગળના પદાર્થો ખાવા અને નિદ્રા કરવી એ સદા હિતકારી છે. અતિમૈથુન કરવાથી શળ, ઉધરસ, વિષમજ્વર, ક્ષીણતા, ક્ષય અને આક્ષેપકાદિ વાયુના રોગો થાય છે, માટે હદમાં રહી પ્રત્યેક કાર્ય કરવાં; કેમકે “તિસર રીત” પાછલી પાંચ ઘડી રાત રહે ત્યારે ઉઠી મુખઈ આઠ અંજી પ્રમાણે ટાટું અને મીઠું વાસી પાણી માટીના વાસણમાં ભરેલું હોય તે પીએ તે વાયુ, પિત્ત અને કફને છતી ૧૦૦ વર્ષ સુખે જીવન ભોગવે છે. તથા ગુદાના મસા, જરા, કઢ, મેદવિકાર, ઝાડાનું દરદ, તાવ, પેટના રોગ, હીબગાડ, પિત્તના બગાડ, માથાના, ગળાના, ઠાઠાના, પીઠના, તથા આંખના રેગે, મૂત્રવાની અડચણ, અને વાત, પિત્ત, ક્ષત, કફાદિ રોગને નાશ કરે છે. • ઈતિ ઋતુચર્યા, દિનચર્યા તથા રાત્રિચર્યા સમાપ્ત. શારીરિક અને ઇંદ્રિયવિજ્ઞાન. દેહધારી મનુષ્યના શરીરમાં વાયુ, પિત્ત, કફ એ ત્રણે દેવ, સાત ધાતુઓ, તથા શરીરનું ઉપજવું, મરવું વગેરે જે જે શરીરના ધર્મ છે તેઓનું યથાર્થ સ્વરૂપ સંક્ષેપથી કહીએ છીએમનુષ્યના દેહમાં ૭ કળા, ૭ આશય, ૭ ધાતુઓ, ૭ ઉપધાતુઓ, ૭ ધાતુઓના 9 સઋતજી કહે છે કે-સમજુ પુરૂષે છએ ઋતુઓમાં ત્રણ ત્રણ દિવસે સ્ત્રીને સંગ કરે. પણ ગ્રીષ્મઋતુમાં પંદર પંદર દિવસે સ્ત્રી સંભોગ કરવો. - ૨ કેટલાક ગ્રંથકારે કહે છે કે, સૂર્ય ઉગવાને જરાવાર હોય તે વેળાએ પાણી પીવું, પણ ભેજ કહે છે કે રાતના ચોથા પોહોરમાં રાતે રાખી મુકેલું-વાસી પાણી જ પીવું.” આ વાસી પાણી પીવાને પ્રવેગ મેં પૂર્ણપણે ખાતરીથી અજમાવી જે છે, અને તેથી દસ્ત સાફ ઉતરે છે, પીંડીઓનું કળતર અને માથાની પીડા મટે છે, તથા નેત્રનું તેજ વધે છે, ભૂખ સારી પેઠે લાગે છે, અને ગ્લાનિ મટે છે; પરંતુ નિરંતર નિયમ સહિત પીએ તેજ ફાયદે થાય છે. તે ૩ દિનચર્યા તથા રાત્રિચર્યા અને ઋતુચર્યાને વિશેષ ખુલાશો મેળવવા ચરક, સુશ્રત, વાક્ષટ તથા ભાવપ્રકાશાદિ ગ્રંશનું અલકન કરે, ભા.ક. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy