SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૦) અમૃતસાગર, (તરંગ કાળીદ્રાખ, દુધ અને એરંડીયા તેલનો રેચ આપો. મધ્યમ કેઠાવાળાને નસોતર, ગરમાળો અને કડુ વગેરેને રેચ આપવો. અને કઠણ કોઠાવાળાને થેનું દુધ, દારૂડીનું મૂળ, નેપાળાનું મૂળ અને શુદ્ધ નેપાળી તથા અભયાદિ મોદક વગેરેને રેચ આપવો. “પ્રથમ પાંચ દિવસ લગી મીંઢી આવળ, જીરું, વરીયાળી, કાળીધાખ, ગુલાબનાં ફુલ એઓ સમાન ભાગે લઈ તેમાં - ગણું ખાંડ તોલા ૪૦ મેળવી ૪૮ તેલા પાણીમાં ઉકાળી ૨૦ લાભાર પાણી રહે ત્યારે ગાળી લઈ ૪ દિવસ પીએ તે પેટને મળ પાચન થાય છે. અને પાંચમે દિવસે મીંઢી આવળ, નસેતર, ગુલાબકંદ, જીરૂ, વરીયાળી અને ખાંડ એઓને ઉકાળી એક બે દિવસ પીએ અને ઘી સહિત ચોખાની ખીચડી ખાય તથા ખાટું ખારું ખાય નહીં તે રેચ લાગે છે અને તમામ દરદી મટે છે. વસંતઋતુમાં મીંઢી આવળ, નસોતર, ગુલાબના ફુલ, વરીયાળી, જીરું અને ચીણી ખાંડને રેચ આપો. ગ્રીષ્મઋતુમાં નસેતર અને સાકર-ખાંડને રેચ આપ. વર્ષાઋતુમાં નસેતર, પીપર, ધાખ, સુંઠ અને મધ એઓનો રેચ આપો. શરદઋતુમાં નસોતર, ધમાસે, મેથ, ધાખ, સુગધીવાળા, જેઠીમધ, સુખડ, મીંઢી આવળ અને સાકર એઓનો રેચ આપવો. હેમંતઋતુમાં નસેતર, ચિત્રક, કાળીપાડ, દારૂડીનાં મૂળ, મીંઢી આવળ, અને વજ એઓને રેચ આપો. અને શિશિરઋતુમાં નસેતર, પીપર, સુંઠ, સિંધાલૂણ, મધ અને મીંઢી આવળ એઓને જુલાબ આપ. અથવા હરડે, મરી, સુંઠ, વાવડીંગ, આંબળા, પીપર, પીપરામૂળ, તજ, તમાલપત્ર અને માથે એઓ સરખા ભાગે લઈ તેઓમાં ત્રણગણો શુદ્ધ નેપાળ, આઠ ગણું નસોતર, અને છગણી સાકર નાખી સર્વનું ચૂર્ણ કરી મધ સાથે એક એક તેલા ભારની લાડુડીઓ વાળી પ્રાત:કાળે એક એક લાડુડી ખાવી અને તેના ઉપર ટાઢું પાણી પીવું. જ્યાં સુધી ઉનું પાણી અને ઉનું અન્ન સેવવામાં ન આવે ત્યાં સુધી રેચ લાગ્યા કરે છે. આ પ્રયોગ ઉપર પરેજની જરૂર નથી. આ અભયાદિદકથી વિષમજવર, અગ્નિમંદતા, પાંડુરોગ, ઉધરસ, ભગંદર, પડખાંઓની પીડા, પીઠનાં દરદે, સાથળનું દરદ, પનું દરદ, પિંડીનું દરદ અને પેટનું દરદ મટે છે. માત્ર આ પ્રયોગ ઉપર તેલ મન અને ક્રોધ કરે નહીં. આ મોદક ધોળા વાળ થઈ ગયા હોય તેને કાળા બનાવી રસાયણના ગુણ આપે છે. જુલાબનું ષડ ખાધા પછી આંખે ઉપર ટાનું પાણી છાંટવું, અત્તર વગેરે સુગંધિ પદાર્થો સુંઘવા અને નાગરવેલનાં પાન ખાવાં. પવન વિનાની જગ્યાએ બેસવું, ટાઢા પાહુથી હાથ, પગ ધેવા નહીં. તેમ ટાઢા પાણીને અડવું પણ નહીં. ઝાડાના વેગને રોકવો નહીં. સુઈ રહેવું નહીં અને વારંવાર હેજ ઉનું પાણી પીધા કરવું. કદાચિત આ વિધિમાં ભૂલ કરે તે બરોબર રેચ લાગતું નથી અને તેથી ડુંટીમાં દુખાવો, કૂખમાં શૂળ, ઝાડા બંધ, પવનનું શેકાવું, ચળ, પ્રામઠાનું ઉપડવું, શરીરમાં ભારેપણું, બળતરા, અરૂચિ, આફરો, ભ્રમ અને ઉલટી એટલા ઉપદ્રવ થાય છે. રેચ સારી પેઠે ન લાગે તે પાચન પદાર્થો વડે આમને પકાવી પછી સ્નેહપાન કરાવી સ્નિગ્ધ કરી ફરી રેચ આપ. રેચ બહુ લાગે તે મૂછો આવે છે. આમળ બહાર નિકળે છે, શળે ફુટે છે, અને અતિસાર વગેરે ઉપદ્રવ થાય છે. તેને ટાઢા પાણીથી નવરાવવા કે શરીર ઉપર ટાઢું પાણી છાંટવું અને ચોખાના ટાઢા ધાવણમાં મધ મેળવી પાઈને થોડુંક વમન કરાવવું. આંબાની છાલના કટકને દહીંમાં વાટી ઘૂંટી ઉપર ચોપડે. અને તે ઉપર સાડીચોખાની સાથે કે મસુરની સાથે બકરીનું દુધ આપવું For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy