SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂમિકા. સમસ્ત આર્થેમહાશય વિજ્જનોને વિદિતછે કે, જગતમાં પ્રચલિત ચગેલાં સર્વે શાએ પૈકી આયુર્વેદ કે જે ઋક્વેદનો ઉપવેદ છે જેને વૈદક્શાસ્ત્ર કહે છે તે શાસ્ત્ર સર્વોત્તમ અને અત્યંત ઉપયોગીછે; કેમકે આ મનુષ્યદેહ, જે સર્વ દેડા કરતાં અતિદુલૈંભળે, તે દેતુ ગેમ્સરાશી લક્ષયાનિયેમાં કાળગતિના ક્ષશેક્ષણે ભ્રમણુ કરનારા કાળચક્રની આધીનતાથી અને પાપ-પુણ્યની સમાનતાથી પ્રાપ્ત થાયછે, તથા તે મનુષ્ય દેહનેજ ધર્મ, અર્થ, કામ અને મક્ષ પણ પ્રયાસવર્ડ પ્રાપ્ત થવાનેા અધિકારછે; અર્થાત્ એ ચતુર્વંગના મુખ્ય સાધનરૂપ મનુષ્ય દેહછે; પરં'તુ દંડ તેા જન્મથી તે જરાપર્યંત વ્યાધિયાના આવાસરૂપ, તેથી જરાવાર પણ સુખાનંદ સ્થાયિપણે રહેતા નથી તે, પછી તે દેહથી શું પુરૂષાર્થ થઇ શકે? કાંઇજ નહીં! જ્યારે પુરૂષાર્થ ન થઇ શકે, ત્યારે તે કેવળ દુ:ખના ભાજનભૂત હૈાવાથી નિરંતર કલેશજ પામેછે, તે દુઃખ અને ક્લેશને નિર્મળ કરવા ફક્ત વૈદક્શાસ્ત્ર વિના અન્ય કાર્ય શાસ્ત્ર શ ક્તિમાન નથી, એમ કહીએ તેા તે કાંઇ ખાટુ નથી. એ આયુર્વેદનું જ્ઞાન પ્રથમ જગતના પિતામહ શ્રી બ્રહ્માજીને થયું હતું અને તેમણે બ્રહ્મસંહિતા રચી હતી. બ્રહ્માજીએ દક્ષપ્રજાપતિને આયુર્વેદનું અધ્યયન કરાવ્યું. દક્ષપ્રજાપતિએ સૂર્યના યમકપુત્ર અશ્વિનીકુઞાાને એ વિદ્યાનું અધ્યયન કરાવ્યું. અશ્વિનીકુમારા પાસેથી ઇંદ્રે એ વિધા સપાદન કરી, ઇંદ્ર પાસેથી મહર્ષિ આત્રેયજી તથા બરદાજજીએ તે વિદ્યા સાંગાપાંગપ હાથ કરી, અને તેમની પાસેથી અનેક મહાન ઋષિયેએ તે વૈદવિદ્યાના અભ્યાસકરી જંગના સમસ્ત જનાને રંગોથી મુક્ત કરવા પોતપોતાના નામેાથી ગ્રંથ રચી આયુર્વેદની મહત્તા દર્શાવી. એ આર્દ્રપ્રણીત આયુર્વેદ આ આપણા સ્વર્ગભૂમિવત્ રળિયામણા ફળદ્રુપ રસિલા આર્યાવર્ત્તમાં પૂર્ણેશભાના શિખર ઉપર રોાભાયમાન હત; અયાત્ રામાયણ અને મહાભારતના સમયમાં આયુર્વેદ ઉન્નતિના શિખર ઉપર હતા. મધ્યાહ્નના સૂર્ય સમાન એને પૂ પ્રતાપ વિસ્તરી રહેલા હોવાથી પ્રત્યેક રાજ્યસ્થાનામાં રાજ્યકત્તાના સમીપ આયુર્વેદવેત્તા-વૈદ્ય રહેતા હતા અને તે રાજવૈધ રાજ્યકત્તાના શરીરને પૂર્ણપણે સાચવતા હતા, તેથીજ તે રાજા ભગીરથ યત્ન આદરી મહાન પુરૂષાર્થેા કરી બતાવતા હતા. સિકર શાહના આવવા લગી આયુર્વેદની ઉન્નતી જેમની તેમ ટકી રહી હતી, એમ યૂનાની ઇતિહાસના લખનાર એશ્યિને તે સમયના ભારતવર્ષની વ્યવસ્થા લખતાં લખતાં ચિકિત્સા પ્રકરણમાં એક વાત લખેલીછે કે “સિકંદર શાહ પોતાની સેનાની સાથે ધણાએક સારા સારા યૂનાની હકીમાને લાવેલ હતા. પંજાબમાં સાપને ઉપદ્રવ વિશેષ હોવાથી લશ્કરના માણસોને સાપેા ડંક દેવા લાગ્યા, અને તે સાપાનું ઝેર દૂર કરવા યૂનાની હકીમેએ ધા ઉપાય કર્યા, પણ કશે દહાડા વળ્યા નહીં; એટલુજ નહી પણુ, હવે અમારા એ વિષે કરોા ઇલાજ નથી આવે! નિરાશા ભર્યો ઉત્તર સાંભળવાથી છેવટે આર્યદેશના વૈધાની સહાયતા લીધી અને તે વૈદ્યાએ કેટલાએક મનુષ્યાને મરછુના મુખમાંથી બચાવ્યા. ” લખેછે કેએસિકંદરશાહ આ પ્રકારે હિંદુસ્તાનના વૈધાના ચમત્કાર જોઇ આશ્ચર્યમાં નિમગ્ન થઈ ગયા, અને પોતાના લશ્કરમાં કેટલાએક આર્યવૈદ્યાને સાથે રાખ્યા; એટલુજ નહી પણ પોતાના યૂ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy