SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૮) અમૃતસાગર. (તરંગ - - - સિંધાલૂણ, સાકર, શંખની નાભિ, મણીલ, નાગેરૂ, સમુફીણ અને મરી એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી આજે તે પાંપણના રેગ, તિમિર, મતિ અને ફુલું એઓને ઉત્તમ પ્રકારે નાશ કરે છે. (આને પણરક્રિયા કહે છે.) અથવા ભીમસેની કપૂર-બસને વડના દુધમાં ઘુંટી કે વડના દુધ સાથે આંખમાં આંજે તે બે મહીનાનું ફુલું તુરત મટે છે. અથવા મધ અને ઘેડાની લાળમાં મરી વાટીને આજે તો ઘેન મટી જાય છે. (આ બને લેખનરસક્રિયા કહેવાય છે.) અથવા જાઈનાં ફુલ, પરવાળાં, મરી, કડુ, ઘેડાવજ.અને સિંધાલૂણ એઓને બકરાના મૂત્રમાં ઘુંટી જે તે ઘેનમટી જાય છે. (આરસક્રિયા છે. અથવા રસાંજન,રાળ, જાઇનાં ફુલ, મણશીલ, સમુદ્રણ, શિક્ષણ, સોનાગેરૂ અને મરી એઓને સમાન ભાગે લઈ વાટી મધમાં ઘુંટી આંખે જે તે પ્રકલીમના કલેદ અને ચળને નાશ કરે છે. ( આ રેપણુરક્રિયા છે. ) અથવા ગળોનો રસ ૧ લાભાર લઈ તેમાં મધ અને સિંધાલૂણ ૧-૧ માસા ભાર નાખી સર્વને સારી પેઠે ઘુંટી જે તે પિત્તા, તિમિર, મેતી, ચળ, દષ્ટિને નાશ તથા ધળા અને કાળા ડોળાના અંદર પ્રવેશ કરેલા નેત્રરોગે વગેરેનો નાશ કરે છે. ( આ રોપણ સક્રિય છે.) અથવા સાટોડીના મૂળને દુધમાં ( કે સ્ત્રીના ધાવણમાં ) ઘસીને આજે તે ચળ, મધમાં ઘસીને આંજે તે પાણીનું ઝરવું, ધીમાં ઘસીને આજે તે ફુલું, તેલમાં ઘસીને આંજે તે તિમિર અને કાંજીમાં ઘસીને આંજે તે રતાંધળાપણું એને, જેમ સૂર્ય અંધારાને નાશ કરે છે તેમ આ સાડીના પ્રયોગે (નેત્રના રોગને) નાશ કરે છે. અથવા બાવળના પાંદડાનો કવાથ કરી તેને શીરા જેવો થાય ત્યારે મધ મેળવી તે આંખમાંથી ઝરતું પાણી તુરત બંધ થાય છે એમાં જરા સંદેહ નથી ! (આ રોપણસક્રિયાઓ છે. ) અથવા નિળીના બીજને મધમાં ઘસી થોડે બરાસ નાખીને આંખમાં આંજે તે આંખ્યો નિર્મળ થાય છે. ( આ સ્નેહન રક્રિયા છે.) અથવા કાળા સાપની ચરબી, શંખની નાભિનું ચૂર્ણ અને નિમળીનાં બીજનું , એઓને એ કત્ર ઘુંટી આજે તે સર્વ પ્રકારના નેત્રરંગો મટી જાય છે, એટલું જ નહીં પણ લાંબા વખતથી અંધ થયો હોય છતાં આ અંજનના અંજનથી દેખતે થાય છે. (આ રસદિયા છે.) અથવા કુકડીના ઈંડાનાં છોતરાં, મણશીલ, કાચ, શંખનાભિનું ચૂર્ણ. ચંદન અને સિંધાલૂણું એઓને સમાન લઈ સૂક્ષ્મ વાટી નિત્ય આંજવામાં આવે તો ફુલો વગેરે ત્રિના રેનો નાશ કરે છે. ( આ લેખનચૂર્ણ છે. ) અથવા મરી ૧૨ રતી ભાર, પીપર તથા સમુફણ ૨૪૨૪ રતી ભાર, સિંધાલૂણ ૧૨ રતી અને સુદ્ધ સુર રા તેલા લઈ એઓનું સૂમચૂર્ણ કરી ચાળી ચિત્રાનક્ષત્રે જે તે વા ચિત્રાનક્ષત્રના દિવસથી આંજવું શરૂ કરે તે તેને થી ખરજ, મોતી, કફ અને મળ વગેરેનો નાશ કરે છે. ( આ લેખનચુણજન છે.) અથવા કલખાપરીઆને સુંદર ખરલમાં વાટી પાણીમાં સારી પેઠે ભીંજવી રાખી તેની સઘળી આછ લઈ નીચે રહેલા ભાગને ફેંકી દેવે, તે સઘળી આ છ સુકાઈ પાપડી જેવી થઈ જાય ત્યારે તેનું ચૂર્ણ કરી તેને ત્રિફળાના રસની ૩ ભાવના દઈ તેમાં દશમા ભાગે બરસ નાખી સારી પેઠે ઘુંટીને આજે તે નેત્રના સમસ્ત રોગે મટી જાય છે. ( આ રે. પણ ચૂર્ણ છે. ) અથવા ધેળા સુરમાને અગ્નિથી તપાવી તપાવી સાત વાર ત્રિફળાને ૧ જે વસ્તુઓના રસ લેવા લખ્યું હોય પણ કદાચ સ ન મળે તો તે વસ્તુને ઉકાળી તેને કવાથ કરી ઉપયોગમાં લેવો. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy