SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમા) નેત્રરંગ પ્રકરણ. ( ર૯૭) વાયુઆદિએ ઉત્પન્ન કરેલા લિંગનાથી આંખ્યામાં મંડળ નાં જુદાં જુદાં રૂપ થવા વિષે. વાયુથી થએલાલિંગનાશથી મંડળ રાતું, ચપળ અને કઠોર થાય છે. પિત્તથી થએલ લિંગનાશમાં–નીલા કાંસા જેવું, કે ધોળાશ કે પીળાશવાળું મંડળ થાય છે. કફથી જાડું, ચીકણું, અને શંખ જેવું છેલ્લું મંડળ થાય છે. આંખ ચોળતાં તે મંડળ પસરે છે. ત્રિદોષથી લિંગનાશ થએલો હેય તે, ઉપર કહેલા સર્વ વર્ણવાળું મંડળ થાય છે. લોહીથી થએલ હોય તે, કુંપળા જેવું કે કમળપત્ર જેવું મંડળ થાય છે અને પિત્તના સંબંધવાળા લેહીથી થએ લે લિંગનાશ હોય તે જાડા તથા રાતાકાચજેવું જાડું તથા રાતું મંડળ થાય છે. પરિ સ્કાયીથી લિંગનાશ થયો હોય તે, ગ્લાનિ પામેલું તથા નીલું મંડળ થાય છે. કાળાંતરે દેને નાશ થવાથી વખતે પોતાની મેળે જ ચખું થઈ જાય છે. સઘળા પ્રકારના લિંગનાશમાં તે તે દેશનાં પિતાનાં લક્ષણે પણ ચેકસ રીતે થાય છે. કીકીમાંના બીજા છ રેગેનાં લક્ષણે. દુષ્ટ થએલું પિત્ત દૃષ્ટિના પહેલા, બીજા પડળમાં પ્રાપ્ત થયાથી માણસની દષ્ટિ પીળી થાય છે અને તેથી માણસે તથા રૂપને પીળાંજ દેખે છે. તેને પવિદગ્ધ દૃષ્ટિ કહે છે. એજ પિત્ત બીજા પડળમાં દાખલ થયું હોય તે તે માણસ દિવસે દેખતે નથી. પણ રાતે શીતળતાથી પિત્ત ઓછું પડતાં સર્વ પદાર્થો દેખે છે. આ પ્રકાર પિત્તવિદગ્ધ દષ્ટિના અંતરભૂત હેવાથી જૂદ ન ગણતાં તેના સામેલ રાખેલ છે. દુષ્ટ થએલ કફ દષ્ટિના પહેલા પડળમાં આવ્યા હોય તે માણસ રૂપને ધળા દેખે છે તેને કફવદિધદષ્ટી રેગ કહે છે. એજ કફ દૃષ્ટિના ત્રણે પડળમાં આવ્યું હોય તે બલાત્કારથી રતાંધળાપણું કરે છે, દિવસે તે દૃષ્ટિ ઉપર સૂર્યને અનુગ્રહ થવાને લીધે કફ ઓછો થવાથી સર્વ પદાર્થ જોઈ શકે છે, પણ રાતે દેખે નહીં. રાતે આંધળાપણું કવિદગ્ધદષ્ટિના પેટાને રેગ છે જેથી જૂદે ગણેલ નથી. શોકથી, તાવથી, મહેતનથી અને માથામાં તડકા વગેરેના સંતાપે થવાથી દષ્ટિને જોર પહોંચતાં સર્વ પદાર્થો ધુમાડાથી વીંટાયેલા જેવા દેખાય છે તેને ધૂમદર્શી કહે છે. આરોગ પિત્તની દુષ્ટતાથી થાય છે. દિવસે પરાણે પરાણે દેખાય તથા મોટા મોટા પદાર્થો પણ હાન દેખાય અને રાતે સર્વ પદાર્થો જેવા હોય તેવા જ દેખાય તેને હસ્વજાત્ય કહે છે. દષ્ટિદેષથી વ્યાપ્ત થયાને લીધે નેળીયાની દૃષ્ટિ જેવી પ્રકાશે અને દહાડે વિચિત્ર ૨પ જણાય તો તેને નકુલાધ્ય રોગ કહે છે. દૃષ્ટિ વિકૃત થયા કરે, વાયુથી ઉપહત રહે, સંકોચાયા કરે, અંદર જતી રહે અને ઉડી વેદનાથી સહિત હેય તેને ગંભીરિકા કહે છે. મહામુનિ ચરકના કહેલા બે વિકાર પિઠી સનિમિત્ત લિંગનાશનું હેતુ સહુ લક્ષણ ઝેરી જૂના ગંધવાળા પવનના સ્પર્શ-અવરૂપ નિમિત્તથી માથામાં અમિતાપ - ૩૮ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy