SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૮૨ ) www.kobatirth.org અમૃતસાગર, Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવૃતા, ઇંદ્રધૃધ્દા, ગર્દભિકા તથા જાલગદ્ભના ઉપાય. આ ચારેના વિસર્પના અધિકારમાં કહેલા પિત્તવિસર્પના ઉપાયેા કરવા અને પાકે ત્યારે જીવનીય ગણુનાં મધુર ઔષધોથી પકાવેલા ધીવર્ત રૂઆવવા. કપિકાનું લક્ષણ-કાચબાની પેડે વચમાં ઉંચી અને કે સાત બયંકર ફેલીઓ થાય તેને કચ્છપા કહે છે. આ ક (તર્ગ છેડાઓમાં નમેલી પાંચ તથા વાયુથી થાય છે. ઉપાય. પહેલાં શેક કરવા. પછી તેના ઉપર હળદર, ઉપલેટ, સાકર, હરતાલ અને દેવદાર એએને પાણી સાથે ઝીણાં વાટી તેને લેપ કરવા. પાકયા પછી ત્રણના જેવા ઉપાય કરી મટાડવી. શર્કરાÉદ્રનું લક્ષણ-કક તથા વાયુ એ માંસને, શિરાઓને, સ્નાયુઓને તથા મેદને પ્રાપ્ત થઇ ગાંઠને ઉત્પન્ન કરે છે. એ ગાંઠ ફુટીને તેમાંથી મધ જેવું તથા ધી કે ચરબી જેવું ઘણુંજ પરૂ વહે છે. એમાં વધેલા વાયુ માંસને સુકવી ગુંથાએલા જેવી કાંકરીને પૈદા કરે છે. આ કાંકરી ઉત્પન્ન થતી ઝીણી નસેામાંથી ગંધાતું, બહુજ કલેદવાળુ` અને વિવિધ વર્ણવાળું લોહી એકાએક વહેવા લાગે છે, તેને શર્કરાખૂંદ કહે છે. ઉપાય-માંસ સંબધી અર્બુદના માટે જે ઉપાયેા કહેલા છે તે ઉપાયે આના માટે કરવા. કારણેા તથા લક્ષણા સહિત કેટલાએક વિકાર. શરીરમાં શક્તિ છતાં કામ કરવામાં ઉત્સાહ ન રહે તેને આલસ્ય” કહે છે. ચિંતાથી જે બહુજ અજંપો રહે તેને અતિ કહે છે. મેળથી તથા ચુકવાથી પ્રેરાયલું અન્ન ધણી મુંઝવણ કરીને નીકળે અને છાતી પીડમા કરે તે ઉત્કલેદ કહેવાય છે. મ્હાંમાં મીઠાસ, ધેન, છાતીનું ભીડાવું, શ્રમ અને અન્ન ઉપર અરૂચિ થાય તે ગ્લાનિ કહેવાય છે. પ્લાનિથી, એજના ક્ષયથી, દુ;ખથી, અજીર્ણથી તથા થાકથી થએલા ઉદાન વાયુના પ્રધ્રાપથી અને આહાર ઠેકાણે બેસવાથી પવનની જે ઉચી ગતિ થાય છે તેને ઉદ્ગાર-એડકાર કહે છે. પેટમાં જે ગડગડાટ થાય તે આટેપ અને અંધારામાં રહેવાના જેવું જ્ઞાન થાય તે તમ કહેવાય છે. For Private And Personal Use Only પાષાણગર્દભનાં લક્ષણ-વાયુ તથા કફના કાપી દાઢીના સાંધામાં કાણુ, આછી પીડાવાળે અને ચીકણાસવાળા સાજો થાય છે તેને પાષાણુગર્દભ કહે છે. ઉપાય-પ્રથમ શેક કર. પછી પાસકામાં કહેવાશે તે કલ્કાના જાડા લેપ કરવા. વાયુ તથા ક નાશક જે બીજા લેપે છે તેના પણ લેપ કરવા. જ્યારે પાકે ત્યારે શસ્ત્રથી છેદી નાખવે ૧ ડોડી, કાકાલી, ખીર કાકાલી, મેદા, મહામેદા, જગલી મગ, જગલી અડદ, ૠષભક, જીવક, અને જેઠીમધ એ આષાને જીવનીય ગણ કહે છે, તે જીવનને વધારનાર, રેગ. અને જરાદિને નારા કરનાર છે. વાગ્ભટ ત્રસ્થાન.
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy