SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તર ) મસુરિકાના ભેદરૂપ શીતળા પ્રકરણ ( ર ) - - - - - - - - - - - - - - - - વાની મેળે જ ખરી પડે છે. એમાં કોઈ શીતળા પાકીને ફરે છે તથા પરૂ આવે છે, જે એમ થાય તો તેના ઉપર અડાયા છાણાની રાખ ભભરાવવી; અને લીંબડાના સારાં પાંદડાંવાળી ડાળીથી માખીઓ ઉડાડવી. તાવ હોય છતાં પણ ટાઢું પાણી જ પાવું, પણ ઉનું પાણી પાવું નહીં. શીતળાવાળા માણસને પવિત્ર રમણિક એકાંત અને ઠંડકવાળા સ્થાનમાં રાખો, એ માણસને કોઈ અપવિત્ર માણસને પછા કે સ્પર્શ ન થાય તેમ કરવું, તેમ તેની પાસે બહુજણે જવું પણ નહીં. શીતળાદેવીનું પૂજન કરવું અને ઔષધોપચાર કરવા નહીં, જોકે આ વિષયમાં પૂર્વાચાર્યોના બે મત પડેલા છે એટલે કેટલાક કહે છે કે વધે ન કરવાં અને કેટલા એક કહે છે કે અવશ્ય વધ કરવા માટે જેમ લોક રૂઢીને ચગ્ય જણાય તેમ કરવું. શીતળાના ઉપાય. લીંબોળીઓની મીજ, બહેડાની મીંજ અને હળદર એઓને ઠંડા પાણી સાથે છીણાં વાટીને પીએ તો શીતળાના પીડાકારી વિકારે કદિપણુ થતા નથી. અથવા તાવ આવવાની શરૂવાતમાં શીતળાનાં સહેજ ચિહન જણાય કે કેળના થાંભલાના પાણી સાથે અથવા સુખડના, અરસાને, જેઠીમધના કે ચબેલીના પાંદડાના રસની સાથે મધ પીએ તો શીતળાના વિકારો પ્રાપ્ત થતા નથી. અથવા શીતળાવાળાને સઘળી શીતળ ત્રિયાઓ કરવી. મંત્રાદિકથી ભૂતાદિકને ટાળવારૂપ રક્ષણ પણ કરવું. તે ઘરની અંદર ચારે કોર લીંબડાનાં પાંદડાં બાંધવા અને તે ઘરમાં ઉછટ–અભડાયલ ગળીના લુગડાવાળા કે નીચ મલિન જનને જવા દેવા નહીં. અથવા રતાંજલી, અરડૂસે, મથ, ગળો અને ધાખ એઓનો હિમ (તરંગ ૧ લાના પૂર્ણ ઉભામાં જુવો.) કરીને પીવે, જેથી તાવ જાય છે. અથવા જપ, હોમ, બલિદાન, મંગલિક વચન, પૂજન, બ્રહ્મભેજન, ગાય, બ્રાહ્મણ, સદાશીવ, જગદંબા એઓનો શ્રદ્ધાપૂર્વક અર્ચનોથી શીતળાને શાંત કરવી. અથવા પવિત્ર બ્રાહ્મણ પાસે શ્રદ્ધાપૂર્વક નીચે લખેલા શીતળા સ્તોત્રના પાઠ કરાવવા, તેમ પાઠ કરનારે શ્રદ્ધાપૂર્વક પાઠ કરવા, જેથી શીતળાદેવી શાંત થઈ જાય છે. શીતળા સ્તોત્ર. श्री स्कंदउवाच॥भगवन्देवदेवेश शीतलायाः स्तवंशुभम् ॥ वक्तु महस्यशेषेण विस्फोटक भया पहम् १ ईश्वर उवाच॥ध्यानम् ॥ वन्देऽहं शीतला देवीं रासभस्थां दिगम्बराम् ॥ यामासाद्य निवर्तेत विस्फोटक भयं महत् ॥ २॥ अस्व.श्री शीतला स्तोत्रस्य महादेवऋषिः अनुष्टुप् छन्दः शीतला देवता शीतलोपद्रव शान्त्यर्थे जपे विनियोगः ॥ शीतले शीतले चेति यो ब्रूया दाह पी. डितः। विस्फोटक भयं घोर क्षिप्रं तस्य प्रणश्यति ॥३॥ यस्त्वा मुदक मध्येतु धृत्वा संपूजयेन्नरः ॥ विस्फोटक भयं घोरं कुले तस्य न जायते ॥ ४॥ शीतले ज्वर दग्धस्य पूतिगन्धगतस्य च । प्रणष्ट चक्षुषः पुंसस्त्वामाहुर्जीवितौषध. म् ॥५॥ नमामि शीतला देवीं रासभस्थां दिगम्बरम् ॥ मार्जनी कलशोपेतं शूर्पालंकृत मस्तकम् ॥ ६॥ शीतले तनुजान् रोगानणां हरसिदुस्तरान् । विस्फोटक विशीर्णानां त्वमेकामृत वर्षिणी ॥७॥ गलगण्ड ग्रहा रोगा ये चान्ये दारुणा नृ. णाम् । स्वदनुध्यान मात्रेण शीतले यान्ति ते क्षयम् ॥८॥ न मन्त्रं नौषधं For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy